SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. નીતિ અને ચારિત્રભ્રષ્ટતા છેલ્લાં ૫૦-૬૦ વરસમાં ચારિત્ર બળ અને નૈતિક બાબતમાં આપણી પ્રજાનું કેવું ઘેર પતન થયું છે, તે નીચેના એક પ્રસંગ પરથી સમજી શકાશે. ઈ. સ. ૧૯૧૩ ની આ વાત છે. એ વખતે મુંબઈ શહેરમાં સરકારી ન્યાયખાતાના ઉચ્ચ અધિકારથી નિવૃત્ત થયેલા શ્રી દયારામ ગિદુમલ રહેતા હતા. તે વખતે તેઓની ઉંમર સાઠથી વધુ વર્ષની હતી અને તેઓ નીતિ– ચારિત્રથી એક સંત મહાત્મા પુરુષ જે આદર લેકમાં પામેલા હતા. તેઓ અત્યંત વિદ્વાન, પ્રતિભાશાળી, પવિત્ર તેમજ સેવાભાવી હતા. મુંબઈની સામાજિક, શૈક્ષણિક અને અન્ય સંસ્થાઓમાં તેઓ આગેવાનીભર્યો ભાગ લેતા હતા તેમજ મહાન સમાજ સુધારક હતા. સિંધની પ્રજાને તો તેમના ઉત્તમ ચારિત્ર વિષે શંકા કરવી એ પણ પાપ કાર્ય ગણાતું. શ્રી દયારામ સ્વ. સાક્ષર શ્રી નરસિંહરાવ ભેળાનાથ દિવેટિયાના અંગત મિત્ર હતા અને તેમને ઘેરે અવારનવાર જતા. શ્રી દયારામે મુંબઈમાં સોશિયલ સર્વિસ લીગની સ્થાપના કરેલી અને તે સંસ્થાના તેઓ મુખ્ય કાર્યકર હતા. શ્રી દયારામને શ્રી નરસિંહરાવને ત્યાં તેમની ર૬ વર્ષની પુત્રી ઉર્મિલા સાથે ઓળખાણ થઈ અને ઊર્મિલા પણ એ સંસ્થાના એક કાર્યકર તરીકે જોડાઈ. આ કારણે તેઓ બંનેને નિકટ પરિચયમાં આવવાનું બન્યું અને પરિણામે બંને વચ્ચે platonic love (પુરૂષ અને સ્ત્રી વચ્ચે જાતિય વાસનારહિત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy