SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫. જીવનઘડતરમાં સાહિત્યનું સ્થાન ] [ ૧૨૩ બધું કામકાજ પણ તે કરતા અને પિતાને તેની પર પુત્ર માફકને રાગ હતો. મારા અભ્યાસની બાબતમાં હું કઈ કઈ વખત તેની સહાય લેતી. તેનું જ્ઞાન અને સમજાવવાની શૈલી અનુપમ હતા. આ રીતે અભ્યાસમાં સહાય લેવાના કારણે અમારે વધુ નિકટ આવવાનું બનતું અને પરિણામે અમારી વચ્ચે એક પ્રકારનું અનેખું આકર્ષણ ઉત્પન્ન થયું. અમે બંનેએ આ પ્રકારના આકર્ષણને શરૂઆતમાં તો ટાળવા પ્રયત્ન કર્યો, પરંતુ મારામાં કાંઈક વધુ પડતી નબળાઈ હતી. આ પરિસ્થિતિ લાંબે ટાઈમ ચાલુ રહે તો તેનું પરિણામ પતનમાં આવે એમ વિચારી પેલા છોકરાએ મને શીખવવા સ્પષ્ટ ના પાડી દીધી. પિતાને આ હકીકતને આ છે ખ્યાલ આવ્યા વિના ન રહ્યો અને દીર્ધદષ્ટિ વાપરી તેમણે મને મારા સાળ મેકલાવી દીધી. મોસાળ આવી અને પેલા છોકરાથી આ રીતે જુદી પડ્યા છતાં આકર્ષણ ઘટવાને બદલે ઊલટું વધતું ચાલ્યું. ઘણી વખત જેનું આપણે વિસ્મરણ ઈચ્છતા હોઈએ, તેની જ સતત યાદ આપણને પજવતી રહે છે. એ છોકરો મને સ્વપ્નમાં આવવા લાગ્યું અને તેની સાથે છૂપે પત્રવ્યવહાર શરૂ કર્યો. અંતે જે નબળાઈ મારામાં હતી, તેને ચેપ પેલા છોકરાને પણ લાગ્યો અને મોસાળમાંથી અમારે બંનેએ સાથે નાસી જઈ લગ્ન કરી લેવાં એવી એક પેજના કરી. મારા સાળના ગામમાં એ છોકરો આબે અને અમે બંનેએ છૂપી રીતે મળી એક રાતે નાસી જવાનો દિવસ નકકી કર્યો. અમારા બંનેની ટિકિટ તે લઈ આવ્યો અને વહેલી સવારના ત્રણ વાગ્યાની ગાડીમાં ચાલી જવાને પ્રોગ્રામ હતો. જે રાતે ચાલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy