SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ] [ જાણ્યું અને જોયું તેમાં સંતોષ માન્ય. વિપુલ ધન ચાલી જતાં જિનદત્ત શેઠને લકે જીર્ણશ્રાવક તરીકે ઓળખવા લાગ્યા. ધન પ્રાપ્ત થતાં નાથિયામાંથી જેમ નાથાલાલ શેડ બની જવાય છે, તેમ ધન જતાં નાથાલાલ નામનું પરિવર્તન પણ નાથિયામાં જ થઈ જાય છે. જીર્ણશ્રાવકની બાબતમાં પણ લગભગ આમ જ બન્યું હતું. વિપુલ ધન અને વૈભવને ક્ષય થતાં નામને પણ ક્ષય થઈ જાય છે. આ રીત જગતમાં આજની નથી, અનાદિકાળથી આવી જ રીત ચાલુ રહેલી જોવામાં આવે છે. હવે જીર્ણશ્રાવક દરરોજ પ્રાતઃકાળે ધ્યાનમગ્ન બેઠેલા ભગવાન મહાવીર પાસે વંદના અર્થે જવા લાગ્યા અને પાછા ફરતી વખતે વિનંતી કરતા કેઃ “પ્રભુ! આજે મારા ઘેરે ગોચરી લેવા જરૂર પધારજો.” જીર્ણ શેઠને ભગવાન તરફથી તો કશે પ્રત્યુત્તર ન મળતો. પણ તેમ છતાં તેને ખાતરી થઈ ગઈ કે ભગવાનની ઉગ્ર તપશ્ચર્યા પૂરી થતાં પારણને દિવસ જરૂર મારૂં આંગણું પાવન કરશે. એક, બે, ત્રણ અને ચાર માસ પૂરા થયા. ચાતુર્માસનો અંત આવ્યે એટલે વળતે દિવસે પ્રાતઃકાળે વંદન કરી વિનંતી કરતાં જીર્ણશ્રાવકે ભગવાનને કહ્યું. “પ્રભુ ! મને લાગે છે કે આજે આપના પારણને દિવસ છે અને તેથી મારા પર અનુગ્રહ કરી આપ જરૂર મારે ત્યાં ભિક્ષા લેવા પધારજે.” જીર્ણ શ્રાવકનું હૃદય આજે અત્યંત પ્રસન્ન હતું. ભગવાન તેને ત્યાં ચોકકસ ગોચરી લેવા પધારશે એવા વિચારથી તેનું ચિત્ત આનંદવિભોર બની ગયું હતું. જે શેરીમાં પિતાનું મકાન હતું ત્યાં તેણે પાણી છટાવ્યું અને રસ્તામાં આસ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy