SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪. ભાવના-ભવનાશિની દીક્ષા લીધા પછીના અગિયારમા વર્ષે ચાતુમાસ અર્થે ભગવાન મહાવીર વૈશાલીનગરીના સમર નામના ઉદ્યાન તરફ જઈ રહ્યા હતા. એ માગેથી ભગવાનના પસાર થયા બાદ વૈશાલીના જૂના નગરશેઠ જિનદત્ત તે જ રીતે કોઈ કામે પસાર થઈ રહ્યા હતા, ત્યારે તેમણે ભગવાન મહાવીરના ચરણની રેખાઓ જોઈ વિચાર્યું કે નકકી આ માર્ગેથી કોઈ મહાન ચકવતી અગર તીર્થકર હમણાં જ પસાર થયેલા દેખાય છે. એ મહામાનવની શેધ અર્થે જિનદત્ત શેઠ પગલે પગલે આગળ વધ્યા અને સમર ઉદ્યાનમાં ભગવાન મહાવીરને ધ્યાનસ્થ બેઠેલા જોઈ તેના ચિત્તમાં પ્રસન્નતા છવાઈ ગઈ જિનદત્ત શેઠને ખાતરી થઈ ગઈ કે અવશ્ય આ તીર્થકરને જીવ છે અને ભગવાનને ભાવપૂર્વક વંદન કર્યા. ભગવાન મહાવીરને એ સાધના કાળ હતો અને તે ઉદ્યાનમાં એ વખતે ભગવાને ચાર માસના ઉપવાસનું ઉગ્ર તપ કર્યું હતું. જિનદત્ત શેઠના જીવન પાછળ પણ એક ઈતિહાસ હતો. એક વખત તેઓ વૈશાલીના નગરશેઠ હતા. વિપુલ ધન વિના નગરશેઠ ન બની શકાય અને ધન પ્રાપ્ત કરવામાં અને તેને સાચવી રાખવામાં અનેક કાવાદાવા કરવા પડતા, જે જિનદત્ત શેઠના સ્વભાવ અને પ્રકૃતિ વિરૂદ્ધ હતું. જિનદત્ત શેઠે નગરશેઠાઈ છેડી દીધી અને નિષ્પાપ માર્ગે જે કાંઈ પ્રાપ્ત થતું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy