SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૬ ] [ જાણ્યું અને જોયું એમની બેલવાની શક્તિ દિનપ્રતિદિન ઘટતી જતી હતી, પણ જ્ઞાનતંતુઓ પહેલાંની જેવા જ શક્તિશાળી રહ્યા હતા. સ્તવન અને સઝાય બેલતી વખતે જરા પણ થાશું અગર એકાદ શબ્દની પણ ભૂલ કરું તો તરત જ તેનો નિર્દેશ કરતા અને હું આશ્ચર્યમુગ્ધ બની જતો. ખરેખર! એમની સ્મરણશક્તિ અદ્દભુત હતી. કાયાનું સાચું સ્વરૂપ એમને સમજાઈ ગયું હતું, પણ એ જ્ઞાન સેવા કરનારાઓને ક્યાંથી હોય ? તેઓ રાગમુક્ત થઈ ગયા હતા પણ અન્ય સૌ તો રોગયુક્ત હતા. એમ કહેવાય છે કે કાળ માનવીને ઝડપી લે છે, પરતુ મુ. ફત્તેચંદભાઇની બાબતમાં તો તેથી ઉલટું બન્યું. તેમની અંતિમ અને છેલ્લી ઇચ્છા તેમના પૌત્ર અજીતકુમારને અમેરિકાથી અહીં બોલાવી તેના લગ્ન તેમની હાજરીમાં કરી નાખવાની હતી. તેમની આ ઇચ્છા પૂર્ણ થઈ એટલું જ નહિ પણ તા. પ-૯ એટલે મૃત્યુ અગાઉ એક જ દિવસ પહેલાં પૌત્ર અને પૌત્રવધૂને હસ્તા મુખડે અમેરિકા વિદાય કર્યા. તે પછી તેમની એક પણ ઈચ્છા બાકી ન રહી એટલે કાળ તેને ઝડપવા આવે તે પહેલાં જ કાળને તેણે ઝડપી લીધે. કાળને તેણે બોલાવી કહી દીધું કે અકુદરતી માગે આ શરીરને ટકાવી રાખવા મારી ઈચ્છા નથી અને મારું અહીંનું કામ સમાપ્ત થયું છે, માટે મારા માટે હવે વિલંબ કરવાની જરૂર નથી. ખરેખર ! તેઓ ભવ્ય જીવન જીવી ગયા અને ભવ્ય રીતે સમાધિ મરણ પ્રાપ્ત કરી ગયા. (આત્માનંદ પ્રકાશ ઓકટોબર, ૧૯૬૭) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005249
Book TitleJanyu ane Joyu
Original Sutra AuthorN/A
AuthorMansukhlal T Mehta
PublisherJain Atmanand Sabha
Publication Year
Total Pages164
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy