________________
હેમચંદ્રાચાર્ય આનંદે, એની વિલાસવૃત્તિઓ, એની ઉલ્લાસપ્રવૃત્તિઓ, દરિયાકાંઠાની સાહસિક પ્રવૃત્તિઓ અને ધાર્મિક, નૈતિક અને શૌર્યભરેલા પ્રસંગે આપીને પ્રજાને મહાન થવાની જાણે હમેશાં દીક્ષા આપી રહ્યા હોય તેમ લાગે છે સાધારણ રીતે હેમચંદ્રાચાર્યની આ કૃતિ દ્વારા તે વખતના ગુજરાત વિષે ઘણું જાણવાનું મળે છે. એનું એ ઐતિહાસિક મૂલ્ય તો છે જ, પણ વિશેષમાં એ કૃતિ દ્વારા હેમચંદ્રાચાર્ય સાધુ આ સંસારને પણ પિતાના સાધુત્વથી રંગી શકે છે, એ એમાંથી દેખાઈ આવે છે. અને એનું કારણ એ છે કે માણસ જે કઈ પ્રવૃત્તિ કેવળ નિષ્કર્મ હદયથી કરે, તે પ્રવૃત્તિમાં એ એવાં બીજ મૂકે છે કે જે બીજમાં ગમે તે સમયે અને ગમે તે દેશમાં વિકાસ પામવાની શક્તિ હોય છે; એટલું જ નહિ, આવી પ્રવૃત્તિમાત્રને તમે કલાદષ્ટિએ જુઓ તો, “ગ્રે'ની પેલી કવિતાની માફક, એમ કહી શકે કે એ બંસીધર બંસી બજાવે છે, બંસી બજાવે છે, બંસી બજાવે છે, અને એનું માધુર્ય ઝરણું એકધારું અખંડ વહ્યા કરે છે; એ ખૂટતું નથી, કારણ કે એ ખૂટી શકે નહિ. મહેનજે-ડારોને ખોદાણકામમાંથી કેટલીક નાની નાની માટીની ફૂલડાઓ નીકળી છે. તે વખતની કોઈ અભિલાષાભરેલી નવવધૂએ, પ્રેમથી ને સખી સાથે વિનોદ કરતાં કરતાં આનંદથી, પિતાના નાકની વાળી, બંગડી, કાનનાં ફૂલ એમાં બહુ જ સંભાળપૂર્વક મૂકીને એને પૃથ્વીમાતાને ચરણે મૂક્યાં છે, એને ખબર નહિ હોય, પણ એને એ સાદો સારો પ્રેમ આજે જેનારના અંતરમાં એટલી નાની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org