________________
હેમચંદ્રાચાર્ય ત્યારે ઇંગ્લંડની પ્રજાએ એને બહુમાન આપ્યું હતું, અને આજે પણુ પણ એનું નામ લેકકંઠમાં રમી રહ્યું છે. કવિ નર્મદે એક હાથે ગુજરાતી શબ્દકેશ તૈયાર કર્યો, ત્યારે એના એ મહાભારત કામથી ગુજરાતી પ્રજા મુગ્ધ બની ગઈ હતી. વર્ષો પહેલાં એક મહાન ગુજરાતીએ, કેવળ પ્રજાને જાગ્રત કરવા માટે, પિતાના જીવનનાં ઉત્તમમાં ઉત્તમ વર્ષો આપીને નામમાળા, અનેકાર્થ સંગ્રહ, અલંકારચૂડામણિ ને છંદનુશાસન જેવા એક કરતાં એક વધારે સુંદર પુસ્તક આપ્યાં, અને એ રીતે ગુજરાતી ભાષાને, ગુજરાતી સંસ્કારને, ગુજ. રાતી પ્રજાને પોતાપણું રહે એવી એક અભેદ્ય સાંકળ ગૂંથી આપી હેમચંદ્ર તૈયાર કરેલાં એ પુસ્તકોએ આપેલી ભાષાથી આજે ગુજરાત સમૃદ્ધ બન્યું છે ને પિતાની જાતને જાળવી શક્યું છે. હેમચંદ્રાચાર્યમાં સાંપ્રદાયિક ધાર્મિક વૃત્તિ કરતાં પણ લોકસંગ્રહાથે કાંઈક કરી જવાની વૃત્તિ એટલી બળવાન હતી, કે જેમ કાલિદાસે “રઘુવંશીની રચના દ્વારા રઘુકુળને હમેશાં રાજનૈતિક વિષયમાં આદર્શરૂપ બનાવ્યું તેમ, હેમચંદ્રાચાર્ય પણ મહાન સિદ્ધરાજનો વિનંતીથી અને પોતે વ્યાકરણના નિયમનાં ઉદાહરણ આપવા માટે, ચૌલુક્યોની કીર્તિગાથા જેવું, એક મહાકાવ્ય તૈયાર કર્યું, અને તે સુપ્રસિદ્ધ “ક્યાશ્રય”. “અભિધાનચિંતામણિ દ્વારા તેમણે એક જ અર્થના અનેક શબ્દો આપ્યા, “અનેકાર્થ સંગ્રહ” દ્વારા ક શબ્દના અનેક અર્થ આપ્યા, “અલંકારચૂડામણિ” ને “કાવ્યાનુશાસન” દ્વારા કાવ્યચર્ચા કરી, તો * દ્વયાશ્રય” એણે વ્યાકરણનાં ઉદાહરણ માટે આપ્યું. પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org