________________
૫૦
હેમચંદ્રાચાર્ય મહાન પણ તે વખતનું સ્તષ્ણુતીર્થ પાટણના હિસાબે કંઈ ન હતું. પાટણમાં તે મહાલ, મહામંદિર, મહાપુરુષ, મહાજને અને મહાપાઠશાલાઓ હતી; અહીંની સભામાં બેસવું એ કાંઈ જેવાતેવાનું કામ ન હતું, એટલે પાટણમાં રહેતાની સાથે હેમચંદ્રાચાર્ય પાટણથી અને પાટણ હેમચંદ્રાચાર્યથી વધારે મહાન દેખાવા લાગ્યાં. દરમ્યાન, કદાચ વર્ષોને છેડે ફેરફાર આમ કે તેમ મૂકીએ તે, સંભવિત છે, કે વાદી દેવસૂરિના કુમુદચંદ્ર સાથે થયેલા શાસ્ત્રાર્થ વખતે અનુભવેલી હેમચંદ્રની પ્રતિભાએ રાજાને આકર્ષી હેય.
મેરૂતુંગના કહેવા પ્રમાણે, જેનું શશવ પૂરું થવા આવ્યું છે, તેવા હેમચંદ્રાચાર્ય, દેવસૂરિના સહાયક તરીકે તેમાં હાજર હતા. દેશ-વિદેશને છતત જીતતે કુમુદચંદ્ર ગુજરાત દેશમાં આવ્યું હતું. પાટણને નૃપાળ એ વખતે હરેક વિદ્વાનને સત્કારતે, તેમ આ તે પિતાની માતાના પિતાને ગુરુ એટલે એને વિશેષ આદર આપીને પાટણમાં શાસ્ત્રાર્થ ગોઠવા. એ વખતે સિદ્ધરાજને હેમચંદ્રાચાર્યની પ્રતિભાની વિશેષ ખાતરી થઈ હશે. દેવસૂરિ તે વખતે કર્ણાવતીમાં હતા. સિદ્ધરાજે ને પાટણના સંઘે તેમને પાટણ આવવા વિજ્ઞ + કરી. દેવસૂરિ આવ્યા અને મહારાણી મીનલદેવીની હાજરીમાં જ શાસ્ત્રાર્થ શરૂ થયે.
આ શાસ્ત્રાર્થ એ પણ એ જમાનાની સંસ્કારિતાનું એક લક્ષણ કહી શકાય. પ્રાચીન સ્પાર્ટી અને એથેન્સના વર્ણનમાં, નવા આગંતુક જુવાને શી રીતે જુદા જુદા ગુરૂઓના સ્થાનમાં જઈ, ઉપદેશ સાંભળતા ને અભ્યાસ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org