________________
હેમચંદ્રાચાર્ય
હેમચંદ્રાચાર્યની મહત્વાકાંક્ષા તે ભારતવર્ષમાં નામના મેળવવાની હતી, અને એ હેતુથી એમણે ખંભાત છેડીને પ્રસ્થાન કરવાનો વિચાર પણ કર્યો હતે. પરંતુ ગુરુ દેવચંદ્રસૂરિએ તેમને કહ્યું: “સપુરુષની કીર્તિ તેમના સ્થાનમાં જ રહેતી નથી. તમે જે ગુજરાતને તજી જશે તે કદાચ તમને વધારે કીર્તિલાભ મળશે, પણ તમારી દેશભાવના સ્થિર કરવાનું એમાં નહિ બને. ભવાંકુરને દગ્ધ કરવાની ઈચ્છા રાખનાર સાધુજને કર્મમાં આસક્તિ ન રાખતાં કર્મ કરવું એ જ એનું મહાન દેશાટન છે. શારદાને શેધવા કરતાં શારદાને અહીં જન્માવો. “વિક્રમાંકદેવચરિત'ના કવિએ ગુજરાતની વાણીને અસ્પષ્ટ કહી છે, તે દેષ ટાળવે હેય તે ગુજરાતને તમારું કરો.”
બિલ્ડણની શારદાદેશની સ્તુતિએ આચાર્યને એક વખત દેશવિદેશમાં જવા પ્રેર્યા હતા. શારદાદેશના અનેક વિદ્વાને પણ ગુજરાતમાં અવારનવાર આવતા. મમ્મટ–અભિનવગુપ્ત
જ્યાં સરસ્વતી મેળવી તે કાશમીર એમને આકર્ષી રહ્યું હતું, પણ ગુરુના શબ્દોએ એમને પિતાના સ્થાનનિર્ણયમાં નિશ્ચિત બનાવી દીધા. હેમચંદ્રાચાર્ય ઘણુંખરું ગુજરાતમાં જ વિહાર કરતા રહ્યા, અને પિતાના લાંબા આયુષકાળમાં તેમણે ગુજરાતને અનેક રીતે સમૃદ્ધ બનાવ્યું.
* ક્ષત્ત્વિ વિધતિ ને જે સર્વવાવરુદ્ધાस्तद्भाषन्ते किमपि भजते यद् जुगुप्सास्पदत्वम् ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org