________________
હેમચંદ્રાચાર્ય બહુ વિચાર કર્યો, હવે હું આ રસ્તે નહિ તજું!” એમ કહેતી પાહિનીદેવી ત્યાં ઊભી રહી ગઈ હતી. ડી વાર પછી તે બેલી: “મને પણ, આચાર્યદેવ ! સાધ્વીપંથમાં લઈ લે!”
હેમચંદ્ર એ જોઈ જ રહ્યો. આજે એની મા એને અલૌકિક લાગી. એના હૃદયમાં સર્વત્ર જ્ઞાનની શાંતિ હતી. આજે જ એને ખબર પડી કે જેની પાસે જ્ઞાન કુછ વિસાતમાં નહિ, એવા મહાપ્રેમની પણ શાંતિ હોય છે. એ જાણે કહી રહી હતી: “મેરે દુઃખમેં ભરા વિશ્વસુખ, ક્ય ન ભરું ફિર મેં હામી.” *
હેમચંદ્રે કહ્યું : “આવે, મા! આવે. જે રસ્તે તમે મને બતાવ્યું, એ જ રસ્તો આજે હું તમને બતાવું છું. પણ મા ! તમે મને આ ધર્મધ્વજને આશ્રય લેવરાવ્ય; આ કલ્યાણકેતુ તમારે માટે પણ સુખરૂપ બને! તમારી કૃપાથી હું –
મેં ત્રિવિધ-દુઃખ-વિનિવૃત્તિ-હેતુ બાંધું અપના પુરુષાર્થ–સેતુ
સર્વત્ર ઉડે કલ્યાણ-કેતુ.”+ હેમચંદ્રાચાર્યે માતા પાહિનીને સાધ્વીવર્ગમાં આચાર્ય. પદે સ્થાપ્યાં અને “પ્રવર્તિની”—પદ અપાવ્યુંઃ સંઘની સમક્ષ માતાને આચાર્યના સિંહાસનની અધિકારી બનાવી અને પિતાનું પુત્રત્રણ અદા કર્યું.
* યશોધરા : મૈથિલીશરણ ગુપ્ત. + મૈથિલીશરણ ગુપ્ત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org