________________
હેમચંદ્રાચાર્ય વસ્થામાં છીપણુ+ને આશ્રય લઈને પણ જીવનનિર્વાહ ચલાવી અનેક મુશ્કેલીઓ વચ્ચે પિતાનું નાવ હંકાર્યું હતું, તે ઉદયનમંત્રી તેની આ મનોકામનાથી કાંઈ અજાણ્યા ન હતા.
તેણે ચાચને જોઈને કહ્યું: “આ શ્રેણી! આ. આજે તે સ્તંભતીર્થના પરમ ભાગ્ય, કે તમારા જેવાને પણ એની સમુદ્રકીર્તિએ આકર્ષા.”
ચાચને આ વાક્યમાં રહેલે અતિશય વિવેક વધારે અવિવેક લાગ્યું. તેણે મર્યાદાનું ઉલ્લંઘન કરી સખત શબ્દોમાં ઉદયનને કહ્યું : “મંત્રીરાજ ! દિવસ તે ચડતે પડતે આવ્યા જ કરે છે. પુત્રવિરહથી વ્યાકુળ એવા મુજ જેવા ગરીબને આમ સત્કાર આપ ઠીક નથી. હજી તે મહારાજ જયસિંહ સિદ્ધરાજની ન્યાયવૃત્તિમાં લેકશ્રદ્ધા અચલિત છે.”
જરા પણ શાંતિ ખયા વિના ઉદયને જવાબ દીધે? શ્રેણી! શરીરનું સુખ અધમને માટે છે, સમૃદ્ધિનું સુખ મધ્યમને માટે છે, માત્ર ઉત્તમ પુરુષે જ કઈ અદ્ભુત પદાર્થ માટે યત્ન કરે છે!”
ચાચે કહ્યું: “હું તમારી પાસે ન્યાય મેળવવા આવે છું. પંચકુલભેગું કરી મને ન્યાય અપાવે. નહિતર * ઇન્દ્રસભાની બરાબરી કરનારી મહારાજ સિદ્ધરાજની સભામાં હું ન્યાય મેળવવા જાઉં!”
ઉદયન બેઃ “શ્રેષ્ઠી ! પ્રથમ તે તમે કહે કે હું + પ્રબંધચિંતામણિ.
* પ્રબંધચિંતામણિમાં સિદ્ધરાજની સભાની ઈન્દ્રસભા સાથે સરખામણી કરી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org