________________
હેમચંદ્રાચાર્ય
રવીકારી, પિતે જાતે ગુમ વેષે ખંભાતમાં આવી ખતીબઅલીને દાદ અપાવી હતી. હજી લેકના કંઠમાં કદાચ એ વાત રમતી થઈ ન હોય, પણ ગુપ્ત વેશે ફરતાં જ્યાં, “સાથે પીધાથી મત્ત થયેલાનાં સાથે ગવાતાં ગીતમાં પિતાના ગુણનું કીર્તન સાંભબતે” ત્યાં તે પ્રત્યે “અનાસ્થા ધારણ કરીને સિદ્ધરાજ પિતાના ગુણગાન સાંભળવા ઘડીભર પણ તે નહિઃ એવી એની ભવિષ્યની રીત, અને સત્ય વસ્તુ મેળવવાની પાટણના રાજસિંહાસનની ન્યાયવૃત્તિ, ઈરાન અને અરબસ્તાનના સમુદ્રમાં પાતા મૌક્તિક જેવી સ્વચ્છ ને તેજસ્વી થવાની છે, એ વાત તે પાટણને મંત્રી સમાજ સિદ્ધ કરી શક્યો હતે. એટલે એની આ ગુપ્તચર્યાની કથા સ્તંભતીર્થના નગરજને ભારે આનંદપૂર્વક એકબીજાને કહી રહ્યા હશે, અને કદાચ સિદ્ધરાજ સિંહની એવી કીર્તિકથા “ખભાઈતિ” રાગમાં કેઈ સંગીતકવિ પિતાને આંગણે ઘડી પણ રહ્યો હશે. એવે સમયે દેવચંદ્રસૂરિએ, જે વખતે બાળક ચંગદેવ સાથે દંડ
* ટૂંકમાં એ વાત નીચે પ્રમાણે છે: કોઈ કારણથી ખંભાતમાં રહેતા મુસલમાનો અને પારસીઓ વચ્ચે ઝઘડો થયો અને તેમાં મુસલમાનેને નુકસાન થયું. આ ફરિયાદ કરવા ખતીબઅલી નામને માણસ પાટણ ગયો. પણ ત્યાં તેનું કેઈએ સાંભળ્યું નહિ. છેવટે શિકારે જતા સિદ્ધરાજને જંગલમાં મળીને હકીકત કહી. સિદ્ધરાજે આમાં ધર્મભેદને બાજુએ મૂકી, ગુપ્ત વેશે, ખંભાત તરફ પ્રયાણ કર્યું અને સત્ય હકીકત મેળવી, ભરદરબારમાં તેને ન્યાય આપે. પણ આ પ્રસંગ જયંસિહના ઉત્તરકાળમાં બન્યા હેઈ, આંહીં એટલે કાલાતક્રમ લાગશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org