SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય ચંગ ક્યાં છે?” “ગુરુ દેવચંદ્રસૂરિને ચરણે!” વાપાત થયું હોય તેમ ચાચ ક્ષેભ પામીને ઊભે રહ્યોઃ “ગુરુને ચરણે? એટલે? તે વખતનું તંભતીર્થ તે આજના ખંભાતને હિસાબે એક મહાન નગર હતું. એના સમુદ્રમાં દેશ-પરદેશનાં જહાજ વ્યાપાર માટે આવીને નાંગરતાં. એને ત્યાં ઇરાન અને અરબસ્તાનના વેપારીઓ આવીને રહેતા. ઉજ્જયિની, ઇન્દ્રપ્રસ્થ અને કાશમીર – એ બધાનું બંદર સ્તંભતીર્થ હતું. અને ત્યાં મહાસમુદ્રની મુસાફરી ખેડનારા વ્યાપારીઓ હતા. સેલંકીએ સૌરાષ્ટ્ર અને લાટની ભૂમિ ઉપર આધિપત્ય ચલાવતા તે આ સ્તંભતીર્થની સમૃદ્ધિથી એને દંડનાયક અણહિલપુર પાટણ માં મહત્વનું સ્થાન ભગવતે. સલકીઓની નૌકાસેના ખંભાતમાં રહેતી. દરિયામાં આવતાં પરદેશી જહાજે શહેરમાંનાં ભવ્ય પ્રાસાદનાં ઉત્તગ શિખરો જોઈને છકક થઈ જતાં. સિંધુ દેશથી કેકણ સુધીના કિનારા પર એના જેવું વિશાળ, વૈભવિશાળી અને વ્યાપારપ્રધાન એકે નગર એ વખતે ન હતું. * - મહાન સિદ્ધરાજે, એ નગરને દેશદેશની પ્રજાના સંગમસ્થાન જેવું ગણું એ ધાર્મિક મતમતાંતરની ભૂમિકા ન બની જાય એટલા માટે તે, વિક્રમના સમયથી ચાલતે આવેલે – क्षतात् किल त्रायत इत्युदनः क्षत्रस्य शब्दो भुवनेषु रूढः । * ખંભાતને ઈતિહાસ અને વસંતરજત મહોત્સવ અંકમાં આવેલ “ગુજરાતનું વહાણવટું” એ નામના શ્રી રત્નમણિરાવના લેખોને આધારે; ઈલીયટ Vol. I તથા કથાશ્રય, ૧૩–૭. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy