________________
૧૮
હેમચંદ્રાચાર્ય હતું. એ કેઈ આચારઘેલી ધર્મવલી ન હતી કે આ મહાત્યાગનું મૂલ્યાંકન કરતાં પાછી હટે.
પણ આ કથન સાંભળીને જે મેઘકુમારની માતાને થયું હતું તે શેક એને થયે.
પણ તેણે અનેક શિશુઓને ધર્મધ્વજ નીચે જતા અને ધર્માધિકારી થતા જોયા હતા. લક્ષ્મી કરતાં એને મન ધર્મ વધારે સત્ય હતો. બાળકના પિતાની ગેરહાજરી છે એ વિચારે એ જરાક વિહળ તે થઈ; પણ પછી એને સાંભર્યું કે એ ગેરહાજરીમાં જ કોઈ ઈશ્વરી સંકેત નહિ હેય?
બીજી ક્ષણે એણે, કાંઈ પણ વધુ વિચાર કર્યા વિના, ગુરુના ચરણમાં પિતાને બાળક ધરી દીધે.
| ગુજરાતણે જેવી વ્યાપારી નિષ્ઠાથી મહાસમુદ્રને મેળે પિતાનાં સંતાન ધરી દે, રણચંડી નારીઓ જેવા વિરત્વથી પિતાના દૂધમલ શિશુને રણક્ષેત્રને સોંપી દે, એવી નૈસર્ગિક છટાથી એણે ગુરુના ચરણમાં બાળકનું મસ્તક મુકાવી, નમન કર્યું, અને પછી પિતે, કાંઈ ન થયું હોય તેમ, શિશુને તજી, જનનીભાવને અંતરમાં સમાવી, બહાર નીકળી ગઈ.
એ ચૈત્યમંદિરનાં પગથિયાં ઊતરતી ધીર, પ્રશાંત અને છતાં વેદનાપૂર્ણ સ્ત્રી, સાધ્વી અને માતા પાહિનીનું ચિત્ર હજી સુધી કેઈ કવિએ કે ચિત્રકારે દેર્યું નથી, એની નજરે એ વખતે ભવિષ્યના ગુજરાતમાં ધર્મવિજય કરતે, પિતાને સરસ્વતીપુત્ર આવી રહ્યો હતે. ધંધુકાની એ નારીરમણીના દેહ ઉપર, ગુલમર ઉપર કુલપ્રફુલ્લ રક્ત પુ શોભે તેમ, પાટણનું મહામેલું નારીકુંજર શોભી રહ્યું હતું. એના કંઠમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org