________________
હેમચંદ્રાચાર્ય
ભદ્ર! તૃણુંકુર પર રહેલા જલબિંદુ જેવું જીવન ક્ષણિક છે. કે જન્મેલે મર્યો નથી કે તને આ મેહ જાગે છે? તે મહાસ્વપ્ન તને યાદ છે? આ તારું બાળક કદાચ લક્ષમીનંદન થશે, યશ મેળવશે, સમાજમાં શ્રેષ્ઠ ગણશે, વખતે રાજ્યાધિકારમાં સ્થાન પામશે, પણ એ સઘળાંથી તને સંતોષ થશે? અને, ખરી રીતે તે, એનામાં જે છે એને સંતોષ થશે? એ મેગી થવા જન્મેલાને તું આંહીં રાખીને શું કરશે? જીવનમાં ત્રણ વાનાં નઠારાં છે : પીઠ દેવી, પૌરુષથી હારવું ને દિલ ચારવું. તું મેહથી પરાજય પામ્યા વિના, પૌરુષથી ને દિલ ચેર્યા વિના દઈ શકે તે આ બાળકને ધર્મને ચરણ મૂકી દે. ગુજરાતની નારીઓ જેવી બહાદુરીથી પિતાના વ્યાપારી પતિઓને મહાસાગરની મુસાફરી માટે અનુજ્ઞા આપે છે, તેવી જ બહાદુરીથી સંસારસાગરની એક મહાન મુસાફરી પાર કરવા આ શિશુની જીવનનૌકાને તું ધર્મધ્વજ નીચે જવા દે. ગુજરાતની સરસ્વતી એના વિના અપૂર્ણ રહેશે. આહંત દર્શન એના વિના અધૂરું લાગશે. જેને માટે ગુજરાતને વિશાળ પ્રદેશ પણ ફળી જે છે, એને તું ઘરઆંગણે રાખીને ઘરકૂકડી બનાવી શું કરીશ? એની મુદ્રામાં ગુજરાતના વિજયને રણકે છે. એની જિલ્લામાં માલવાની સરસ્વતી છે, એના જીવનમાં આહત દર્શનની સૌરભ છે. તું, એ સરસ્વતીપુત્રને, દ્રષ્ટાને, યોગીને, કવિને – એને તું શું કરશે, ભદ્દે?”
ધર્મોપાસના એ પાહિનીના જીવનનું કેન્દ્રસ્થ બળ # દ્વયાશ્રય, ૬, ૮૫.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org