________________
[3]
થોડા સમય પછીની વાત છે. આ સ્વપ્નદશન તે મૃતિમાંથી સરી ગયું છે. માતા પિતાનાં બાળકોને સાથે લઈને આડોશીપાડોશીને ત્યાં જાય છે, ચૈત્યવંદના કરવા જાય છે. શ્રેષ્ઠીના કુલધર્મ પ્રમાણે ચાચ તે કઈ વખત ઘેર હોય છે, કેઈ વખત બહારગામ હોય છે; એનું સઘળું ધ્યાન એને વેપાર રેકી રહી છે. એ સમયે તો હિંદી મહાસાગર એ સાહસિક ગુજરાતીઓ માટે દુર્લભસરેવર જેવું એક સરોવર હતું
લાંબી નજર નાખે ત્યાં સુધી નજર પહોંચે તેવા વિશાળ, સપાટ, ખાડા-ટેકરા વિનાના, સીધા ભાલના પ્રદેશ માં ગામને પાદર ઊભા રહીને કઈ વખન મા ઘઉંનાં હરિયાળાં ખેતરે બાળકને બતાવે છે.
નાનું બાળક, જાણે સૌન્દર્યદર્શન માટે નહિ પણ સત્યદર્શન માટે જગ્યું હોય તેમ, તેની તરફ નિર્દોષ હાસ્ય કરીને જોઈ રહે છે અને પછી મંદિરની પેલી ભવ્ય શિખરમાળા તરફ આંગળી ચીંધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org