________________
૧૨
હેમચંદ્રાચાર્ય એ વખતે ત્યાં એક સાધુ ધંધૂકામાં રહ્યા હતા. તેમનું નામ દેવચંદ્રસૂરિ.
એક વખત પાહિનીએ ગુરુને વંદન કરતાં કહ્યું : “મહારાજ! મને એક સ્વપ્ન આવ્યું; જાણે કઈ અલૌકિક તેજે. યુક્ત ચિંતામણિ મેં આપને ભેટ ધર્યો!”
જેમણે જીવનપર્યંત વિવા, વિરાગ અને વીતરાગની ઉપાસના કરી છે, જેમની મહેચછા પિતાની પછી પિતાના માગે કેઈ ને કોઈ એકાકી સાધુ દીપક પ્રજવલિત રાખે એવી છે, જેમણે જીવનમાં કઈ વસ્તુમાં રાગ બતાવ્યું નથી, એવા મહાન દેવચંદ્ર, પાહિનીનું આ વાક્ય સાંભળીને, એક ઘડીભર એની સામે જોઈ રહ્યા.
એમની સામે જાણે ર્તિમંત શ્રદ્ધા હોય તેવી પાહિની હતી.
નમણે લલિત દેહ વંદનાથી વધુ વિનમ્ર લાગે છે, મેં ઉપર સૌમ્ય તેજ છે; અંતર જાણે સભર પવિત્રતાથી છલકાઈ રહ્યું છે. એક ઘડીભર દેવચંદ્રસૂરિની નજર સમક્ષ જાણે કેઈ બાળક અંતરિક્ષથી આવતું હોય તેવું લાગ્યું; એમના સાધુહૃદયમાં પણ એક ઘડીભર આનંદમિ આવી ગઈ. એમને થઈ ગયું કે, “ગુજરાતનાં આવાં નારીરત્ન પાસેથી પ્રણલિકા ને પથદર્શનના ધુરંધરો કદાચ ન મળે? કદાચ આ સ્વપ્ન કેઈ મહાન સત્યની આગાહી ન હોય ?”
તે બેલ્યા, તેમની દષ્ટિ ધરતી ઉપર હતી, એમના શબ્દમાં ભવિષ્યવેત્તાનું અલૌકિક ગાંભીર્યું હતું, એમની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org