________________
હેમચંદ્રાચાર્ય
આવી વાતને અર્ધ ઐતિહાસિક તરીકે સ્વીકારવામાં આવે છે. એ કદાચ સંપૂર્ણપણે ઐતહાસિક નહિ હેય, પણ એમાં ઈતિહાસ છે એ સૌ સ્વીકારે છે. બર્નાર્ડ શોએ પણ સંત જેનના નાટકમાં જેન એફ આર્કના મેમાં આ શબ્દો મૂક્યા છેઃ Voices come to me first; and reasons afterwards.
એ ઉપરથી એટલું તે ચક્કસ છે કે ઘણી વખત દંતકથામાં ઇતિહાસ નથી હ; છતાં ઐતિહાસિક સત્ય તે મળી આવે છે – પછી એ ડું મળે કે વધારે મળે એ સવાલ જુદો છે. પણ લોકપ્રિય દંતકથાને તમે કેવળ તદ્દન ઉપેક્ષણીય ન ગણી શકે,
હેમચંદ્રાચાર્યના જન્મ વિષે “પ્રભાવક ચરિત્ર”માં નીચે પ્રમાણે હકીક્ત મળે છે?
“ધંધૂકામાં એક પ્રૌઢ, મહિમાશાળી, ધર્મજમાં અગ્રેસર એવા શેડ હતા. એનું નામ ચાચ. એની ધર્મપત્ની પાહિનીદેવી.”
આ પાહિનીદેવીને જે વૃત્તાંત મળી આવે છે, તે ઉપરથી લાગે છે કે એનામાં શ્રદ્ધા અને પ્રેમ એ બે ત કેઈ સામાન્ય સ્ત્રોમાં ન મળી શકે એટલા પ્રમાણમાં વિકાસ પામેલાં હતાં.
હેમચંદ્રાચાર્યના પિતાના જીવનમાં શ્રદ્ધા અને પ્રેમ દેખાય છે, એ આ માતાને વારસો છે.
હેમચંદ્રાચાર્યે પિતાના જીવનમાં ગીતાને પરમ શબ્દ સમન્વય” અથવા જેન તત્ત્વજ્ઞાનને મહાન શબ્દ “સ્વાદુવાદ સાધી બતાવ્યું, તેમાં પાહિનીએ આપેલા આનુવંશિક ગુણેનું પ્રમાણ ઓછું નહિ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org