SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય રાતી પાસેથી પ્રેરણા મેળવવાની રહી. હેમચંદ્રાચાર્યનું ગુજરાત એ એક અનોખી પ્રતિભા ધરાવનાર ગુજરાત હતું. તે વખતે ગુજરાતીનું ગૌરવ જુદા પ્રકારનું હતું. સિદ્ધરાજ જયસિંહને પાટણની બજારમાં હાથી ઉપર ફરતે વે, ઉદયનને રાજખટપટના પાસા ફેકતે જો, સાંતૂને ગુજરાત માટે જીવનપરાક્રમ કરતે જે, મીનલદેવીને સ્થળે સ્થળે ધર્મભાવના વિકસાવતી જેવી, જૈન સાધુઓની અત્યંત પ્રશાંત મુખમુદ્રા જેવી, વીરત્વભરપૂર સૈન્ય જેવાં, રસિકડી ગુજરાતણે જેવી અને થનગનતા તરુણ ગુજરાતીઓ જેવા – એ તે જમાનામાં જ રહેતા હશે તેમને માટે ધન્ય પળને સમય હવે જોઈએ. પણ ગુજરાતની એ દિગંતવ્યાપી કીર્તિની માલવીઓ મશ્કરી કરતા. ભેજના દરબારીઓ જાણતા કે એ તે ગુજરાતીએ; એમને સાહિત્યની શી ખબર પડે? એમને ત્યાં કવિ કેણ? એમને ભાષાશુદ્ધિની શી પડી છે? માતા સરસ્વતીના કંઠનું આભરણ તે અહીં જ રચી શકાય. જ્યારે ભેજ નહિ હોય, ધારા નહિ હોય, અને કાંઈ નહિ હોય, ત્યારે પણ કાંઈક હશે; પરંતુ એ ભીમપરાક્રમી ભીમ નહિ હોય, પાટણ નહિ હોય, એ મહત્તા નહિ હોય ત્યારે કાંઈ જ નહિ હોય ! પછી તે જાણે કે ગુજરાતની ભૂમિની આખી મુખમુદ્રા ફેરવી નાખવી એ ઈશ્વરી સંકેત હોય તેમ, એક જવાબ મળે. ધંધુકામાં સંવત ૧૧૪૫ની કાર્તિકી પૂર્ણિમાએ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્યને જન્મ થ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy