________________
હેમચંદ્રાચાર્ય ગુજરાતને જાગ્રત રાખનારી સંસ્કારિતા કલ્પી શકાતી નથી, અને એમના વિના ગુજરાતી પ્રજાનાં આજનાં ખાસ લક્ષણે – સમન્વય, વિવેક, અહિંસા, પ્રેમ, શુદ્ધ સદાચાર અને પ્રામાણિક વ્યવહારપ્રણાલિકા – કલ્પી શકાતાં નથી. હેમચંદ્રાચાર્ય માનવ તરીકે મહાન હતા; સાધુ તરીકે વધારે મહાન હતા; પણ સંસ્કારદ્રષ્ટા તરીકે તે એ સૌથી વધારે મહાન હતા. એમણે જે સંસ્કાર રેડ્યા, એમણે જે ભાષા આપી, એમણે લેકેને જે રીતે બેલતા કર્યા, એમણે જે સાહિત્ય આપ્યું – એ સઘળું આજના ગુજરાતની નસમાં હજી વહી રહ્યું છે; અને એટલે, એ મહાન ગુજરાતી તરીકે ઈતિહાસમાં પ્રસિદ્ધિ પામવા ગ્ય પુરુષ છે. - સોલંકીઓને ઈતિહાસ હેમચંદ્રાચાર્ય વિના લડાઈઓને ઇતિહાસ બની જાય; હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતી ભાષાને ઇતિહાસ અપૂર્ણ અને અકિંચન લાગે; હેમચંદ્રાચાર્ય વિના ગુજરાતની પાસે દુનિયાના સાહિત્ય ઈતિહાસમાં મૂકવા ગ્ય વ્યક્તિઓ બહુ ઓછી છે.
હેમચંદ્રાચાર્યની ખરી મહત્તા એ છે કે તે સમયના ગુજરાતની સઘળી પ્રવૃત્તિઓમાં એમણે ઓતપ્રેત રહી પિતાના સાધુત્વના રંગથી એમને રંગી દીધી હતી. હેમચંદ્રાચાર્ય જે કેવળ પિતાની સાધુ પ્રવૃત્તિમાં રહ્યા હેત, તે એમણે ગુજરાત ઉપર જે ચિરસ્થાયી અસર મૂકી તે અસર કદાચ કેવળ સંપ્રદાયમાં જ શમી જાત. આજે તે માત્ર જેનધર્મના અનુયાયીઓએ જ નહિ, હરકોઈ માણસ, જેને ગુજરાતની સંસ્કારિતામાં રસ હોય તેણે, આ મહાન ગુજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org