SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય તુંગે પુત્રને કહ્યું, “તું મારે પુત્ર છે, માટે હું આ ખાઈમાં સૂઈ જાઉં છું ને તું મારા ઉપર પગ દઈ દુશ્મનનું કાસળ કાઢી નાખજે!” પુત્રે જવાબ આપે, “તમે મારા પિતા છે, માટે હું જ પડું.” એમ કહી તે પડ્યો. ને પુત્રના અગ્નિમાં, પડેલા દેહ ઉપર પગ દઈ તુંગ દુશ્મન રાજાને મારી આવ્યો. આની સાથે શીખગુરુ ગોવિંદ અને એના શિષ્ય. લખી વણઝારાની વાત સરખાવવા જેવી છે. આવી નિર્ભયતા. સોલંકીઓના ગુજરાતમાં હતી. અને એ નિર્ભયતાને લીધે જ પ્રજા પણ મહાન હતી. મીનલદેવીને મલાવતળાવને વાંકે કિનારે રાખ પડ્યો, એમાં જેટલી સેલકી રાણીમાતાની શોભા હતી, તેટલી જ શોભા, પિતાનું સ્થાન છોડવા ના પાડનાર સુંદરીની પણ હતી. સોલંકીઓના સંસ્કારમુગટમાં બીજના ચંદ્ર જેવી બનીને આ વકકિનાર શોભી રહી છે. પરંતુ સેલંકીએ જે માત્ર સૈનિકોને જ દેરી જાણતા હેત, અને એમના હાથીએ માત્ર નર્મદાસ્નાનથી જ શક્યા. હોત, તે આજે એમની દશા એમના જેવા અનેક નૃપતિએની માફક ધૂળમાં રગદોળાઈ જવાની હતી. ઉજ્જયિનીના સિંહાસન ઉપર અનેક નૃપતિઓ થયા; લેકકંઠમાં તે વિક્રમ, મુંજ ને ભેજ જ રહ્યા. દિલ્હીના સિંહાસન ઉપર અનેક બાદશાહે થયા; જનતાએ તે બે-ચારને જ જાણ્યા.. શિવાજી છત્રપતિ ને બાજીરાવ સિવાય બીજાં નામ લેકજીભને. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy