SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાય લે! અને તમને એની મહત્તાથી ગુજરાત મહાન થતું લાગશે. તે વખતના શ્રેષ્ઠીઓ, સાધુએ, સૈનિકો અને સુંદરીએ – સઘળાં જ એક મહાન પ્રજાનાં અંગ હોય એમ, પાતપાતાની ભૂમિકા ઉપર આવે છે, ત્યારે જાણે મડાન બનીને જ આવે છે. અલેકઝાંડરે જ્યારે માલકાકાને હરાવ્યા ત્યારે તેમાંના સેા રાજાએ – પ્રજાના પ્રતિનિધિએ – એને મળવા આવ્યા. એ વખતે માલકેકના રાજાએએ એક જ જાતનાં વસ્ત્રો પરિધાન કર્યાં હતાં, એક જ જાતના રથ ઉપર તેએ બેઠા હતા, એક જ જાતનાં શસ્ત્રાસ્ત્ર તેમના અંગ ઉપર શેભતાં હતાં. તેમણે અલેકઝાંડરને કહ્યું કે અમે કોઇ દિવસ પરાજય પામ્યા નથી; અમને કોઇ પરાજય પમાડી શકતું નથી, આજે તમે અમને જીત્યા નથી, પણ સમયે તમને જિતાડયા છે. પ્રબંધચિંતામણિ ’માં પરચૂરણ પ્રબધામાં આપેલી તુંગની દંતકથા ખોટી લાગે છે; પણ એ દંતકથા ઉપરથી વીરત્વની ભાવના લાકમાનસમાં કેવા પ્રકારની હતી તેને સ્પષ્ટ ખ્યાલ મળે છે. પૃથ્વીરાજ ચૌહાણની પાસે આ તુંગ હતા. વારંવાર દુશ્મન ચડી આવે છે એ જોઈને, જ્યારે એક વખત દુશ્મન ચડી આવ્યા ત્યારે તેણે, તેના મુકામ પર જઈને, તેનેા ધાત કરવાના વિચાર કર્યો કે જેથી સ્વામીની ને નગરજનેાની હેરાનગતિ મટે, તે પોતાના જુવાન પુત્ર સાથે રાત્રે ત્યાં છૂપી રીતે ગયા. પણ દુશ્મન રાજાના તબુની ક્રૂરતી ખાઈમાં ખેરના અગ્નિ બની રહ્યો હતા. " Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy