________________
જ આજે શ્રી હેમચંદ્રાચાર્યનું સર્વદર્શનમાન્ય વ્યક્તિ તરીકેનું જે ઉચ્ચ સ્થાન છે, તે પણ ન હોત.
કોઈ પણ મુગમાં વાસ્તવિક ધર્મ અને ધાર્મિકતાએ વ્યાપક સ્વરૂપ લીધું હોય તે, તે ત્યારે જ કે જ્યારે તેના પ્રણેતા અને સંચાલકોના જીવનમાં શુદ્ધ ત્યાગ, તપ અને સમભાવે સ્થાન મેળવ્યું હેય. એક કાળે ભારતવર્ષની આર્ય પ્રજાના આય માનસમાં આ ઉદાત્ત ભાવનાએ એટલું વ્યાપક સ્થાન પ્રાપ્ત કર્યું હતું કે માત્ર એક દેશમાં, એક ગામમાં કે એક પડોશમાં જ નહિ, પરંતુ એક જ ઘરમાં ભિન્નભિન્ન ધર્મો અને સંપ્રદાયો એકસાથે વસી શક્તા, પરસ્પર વિચારોની આપ-લે કરી શકતા અને અનાબાધપણે પિતપિતાની પદ્ધતિએ સૌ જીવનવિકાસ પણ સાધી શક્તા હતા. આજે આપણે સૌએ આપણા જીવનમાંથી આ વિજ્ઞાનપૂર્ણ સમભાવને સર્વથા બેઈ નાખ્યો છે. એનું પરિણામ એ આવ્યું છે કે આપણે સહવાસી ભિન્નભિન્ન ધર્મે કે સંપ્રદાય સાથે સમભાવ–મૈત્રીભાવ સાધી શક્તા નથી; એટલું જ નહિ, પણ પિતાપિતાના સંપ્રદાય કે સમૂહમાંય સહેજ વિચારભેદ પડતાં માનવતાનો ત્યાગ કરી અસભ્ય અને જગલી દશાએ પહોંચી જઈએ છીએ, અને આપણે જે ધમ અને ધાર્મિક્તાને વિકાસ સાધવા માગીએ છીએ એને, દિન-પ્રતિદિન, આપણા જીવનમાંથી અભાવ થતો જાય છે. ભગવાન શ્રી હેમચંદ્ર જેવા આદર્શજીવી પુરુષનાં પવિત્ર જીવન આપણું સૌને આ ક્ષુદ્રતાની ગર્તામાંથી ઉગારનાર થાય એમ આપણે સૌ જરૂર ઇચ્છીએ - ઈચ્છવું જ જોઈએ.
આજે એ સમય આવી લાગ્યો છે, જ્યારે ધર્મમાત્ર વ્યાપક રીતે મનુષ્યને એના જીવનવિકાસમાં કઈ રીતે સહાયક બને એ દરેક વિજ્ઞ મનુષ્ય સ્થિતપ્રજ્ઞ બની વિચારવું જ જોઈએ. અને તો જ ત્યાગ, તપ અને સમભાવરૂપ વાસ્તવિક ધર્મ અને ધાર્મિકતા આપણું જીવનમાં સ્થાન લઈ શકશે. એ સિવાય પિતપોતાના માનેલા સંપ્રદાયની રીતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org