________________
१५
દરેક માટે શકય છે, પરંતુ ચરિત્રનાયકના જીવનમાં રહેલી ઓજસ્વિતાને સર્વસામાન્ય જનતાના હૃદયમાં, અકૃત્રિમ રીતે સાક્ષાત્કાર કરાવી દેવો એ ઘણું કઠિન કામ છે. તેમ છતાં ભાઈ શ્રી ધૂમકેતુએ એ કામ અતિ સરળતાથી પાર પાડયું છે એ, પ્રસ્તુત છવનચરિત્રના સ્વાધ્યાયથી સહેજે જ સમજી શકાશે. તેમણે ભગવાન શ્રી હેમચંદ્રના જીવનમાં ધકેલી દરેક વિશિષ્ટ ઘટનાને પૂર્ણ ન્યાય આપ્યો છે; એટલું જ નહિ, પણ તેમના જીવન સાથે સંબંધ ધરાવતી પરાપૂર્વથી ચાલી આવતી કિંવદનતીઓ જેવી હકીકતો સુધાંને, આજના સર્વસામાન્ય લેખકોની માફક નિરર્થક ગણુ ફગાવી ન દેતાં, તેના મૂળમાં રહેલ રહસ્યને આલેખવામાં ખૂબ જ ગંભીરતા અને પ્રૌઢતા દર્શાવી છે; અને એ રીતે આજના લેખકોને એક વિશિષ્ટ માર્ગનું સૂચન પણ કર્યું છે, એ આ જીવનચરિત્રની નોંધવા લાયક ખાસ વિશેષતા છે. જીવનચરિત્રનો સ્વાધ્યાય
પ્રસ્તુત છવનચરિત્રનો શુક સાંપ્રદાયિક પદ્ધતિએ સ્વાધ્યાય કરનાર જૈન કે જૈનેતર કદાચ ચરિત્રનાયક અને લેખક-મહાશયને અન્યાય જ કરશે. એટલે પ્રત્યેક વાચકે, આવાં જીવનચરિત્રો વાંચતી અને વિચારતી વખતે, સંકુચિત સાંપ્રદાયિક ભાવનાને ત્યાગ કરી, ઉદાર મન જ રાખવું જોઈએ. ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના જીવનમાં જે કાંઈ પણ ખાસ વિશેષતા હોય તે તે એ જ છે, કે એમણે લૂખા સંપ્રદાયનો આશ્રય ન લેતા, શ્રમણ ભગવાન વીર-વધમાને બહુમાન્ય કરેલ ત્યાગ, તપ અને સમભાવ–સ્યાદ્વાદધને પિતાના જીવનમાં ઉતારી જૈન ધર્મનાં વાસ્તવિક તત્ત્વો અને સંસ્કારે ગૂજરાતી પ્રજાની વ્યક્તિ-વ્યક્તિના જીવનમાં વ્યાપક બને એવો માર્ગ લીધે હતો. જે ભગવાન શ્રી હેમચંદ્રાચાર્યના જીવનમાં ઉન્નત ભાવનાને સ્થાન ન હોત તો જૈનધર્મના મૌલિક સિદ્ધાનો સમગ્ર પ્રજાના જીવનમાં જે રીતે વ્યાપક બન્યા છે, અને જૈનધર્મ અને ગૂજરાતની પ્રજા ઉન્નતિના શિખરે પહોંચી શક્યાં એ, ન બની શકત; તેમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org