SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ વેળાએ ભાઈ શ્રો ધૂમકેતુએ, એ વિષયને કડવાશભરી રીતે ચર્ચ નાર જૈન અને જૈનેતર ઉભયને મીઠા ઉપાલ ભ આપવા સાથે, આચા શ્રી હેમચંદ્ર અમતાગ્રહીપણે કુમારપાલને કવા પ્રકારનાં જૈનત્વનાં સાચાં તત્ત્વ અર્પણ કર્યાં હતાં અને ઉદાત્ત અને સમભાવને સ્પર્શતાં એ તત્ત્વાને જીવનમાં ઉતારી એ ગૂજરેશ્વરે જૈનત્વ અથવા પરમાતપણાને પ્રાપ્ત કરી તેના ર્'ગથી આખા ગુજરાતની પ્રજાને કેવી ર’ગી દીધી હતી એ વસ્તુને ઘણી સરસ રીતે આલેખી છે, અને એ રીતે આચાર્ય શ્રી હેમચંદ્ર અને કુમારપાલ એ બન્ને ય ગુરુ-શિષ્યના સંબધને અને એમના ઉદાર અસાંપ્રદાયિક તેમ જ વિશુદ્ધ જૈનત્વને શાભાવ્યું છે. એ જ કારણ હતું કે શ્રી કુમારપાલે પેાતાના ગુરુની માફક જીવનમાં રાજત્વ છતાં ઉન્નત માનવતા અને વિશિષ્ટ સાધુતા પ્રકટાવી હતી. ભાઈ શ્રી ધૂમકેતુ મહાશયે તટસ્થ અને ઝીણવટભરી રીતે આલેખેલા આ પ્રકરણના એ જ રીતે સ્વાધ્યાય કરવાથી એ વસ્તુ સ્પષ્ટ રીતે સમજી શકાશે, કે આચાર્ય શ્રી હેમચંદ્રના ઉપદેશ અને સહવાસને પરિણામે શ્રી કુમારપાલે પેાતાના જીવનમાં જૈનધર્મ, તેનાં વિશુદ્ધ તત્ત્વ અને તેને માન્ય સવ દર્શનસમદર્શિતાને એટલાં પચાવી લીધાં હતાં કે તેમના જીવનમાં એવી સાંપ્રદાયિક જડતાને સ્થાન ન હતું, જેથી પોતાના રાજધમ ને કે વ્યવહારધર્મ ને હરકત આવે, અથવા કાઈ સ`પ્રદાયાંતરની લાગણી દુભાય કે તેને આધાત પહેાંચે. જીવનચરત્રની પદ્ધતિ કૃત્રિમતાથી રહિત અને ઐતિહાસિક તથ્યને આવેદન કરતા પ્રસ્તુત જીવનચરિત્રમાં કોઈ પણ પ્રસંગના વનને! આરંભ અને તેની પૂર્ણાહુતિ એવી અજબ રીતે કરવામાં આવ્યાં છે, જેથી એને વાંચતાં સૌકાઈ મુગ્ધ બની જાય. જીવનચરિત્રમાં ચરિત્રનાયકના જીવનની ઘટનાઓનું સામાન્ય વર્ણન લખી નાખવું કે કરી દેવું એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy