________________
હેમચંદ્રાચાર્ય
૧૪૩ એની ગાથાઓને, માતા ગુર્જરીના કંઠમાં માળા આપે તેમ, “દેશીનામમાળા” ને “અભિધાનચિંતામણિ'માં ગૂંથીને એમણે માળા આરોપી. એ ગાથાઓ આજે પણ માયકાંગલા ગુજરાતીને પરાક્રમી થવાની પ્રેરણા આપે એટલું સામર્થ્ય ધરાવે છે:
પુત્તે જા કવાણુ ગુણ, કવણુ ગુણ મુએણ જા બપ્પીકી ભૂંહડી, ચપિજજઈ અવરેણ.
અને સાધુ છતાં જેમણે સંસારી જનેના ઉલ્લાસમાં રહેલી શૌર્યવૃત્તિ નિહાળવા હમેશાં ઉત્સુકતા બતાવી છે, અને સંયમ એ અનુપમ પ્રેમમાં જ શક્ય વસ્તુ છે એમ જાણુને જેમણે પ્રેમને પણ જીવનમાં એનું ગ્ય સ્થાન આપવા નિરંતર આતુરતા દર્શાવી છે, તે હેમચંદ્રાચાર્ય જ આવાં ઉદાહરણ આપી, પ્રજાની નસનસમાં રમતી શુદ્ધ પ્રેમની, સૌન્દર્યની, ઉલ્લાસની અને વિરતાની ગાથાઓને સંગ્રહી શકે?
* છેલ્લા સામલા ધણ ચંપાવણી
ણાઈ સુવણરેહ, કસવઈ દિણી.. ઢોલે (નાયક) તે શામળે છે, ધણ (પ્રિયા–નાયિકા) ચંપાવણી છે – જાણે કે સુવર્ણની રેખા કસોટી પર લગાવી હોય તેમ.
આ પંક્તિઓ વાંચતાં તે જાણે ગુજરાતીઓને જીવનરંગ જ ફરી જાય છે. ચંપાવણ ગુજરાતણ અને દરિયાનાં મજા સાથે ખેલનારે, લાખનાં મેતી લાવી એ નારીને શણ
જુઓ, મોહનદાસ દલીચંદ દેસાઈકૃત “જૈન ગૂર્જર કવિઓ' ભાગ ૧ લો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org