________________
હેમચંદ્રાચાર્ય
૧૩૯ ને તેને બહાર લાવ્યા ત્યારે પણ એકાદ મૂળિયા સાથે એના બને હાથ તે સખત રીતે વળગી જ રહ્યા હતા ! હજારેને સંહાર બચાવવા તેણે આત્મવિસર્જન કર્યું હતું! *
હેમચંદ્રાચાર્ય જેવા વિનદી, આનંદી, ઉલ્લાસમય, સંયમમૂતિ તપસ્વી જીવનને અને પૃથ્વીને છેલ્લી વંદના કરે એમાં પણ કાંઈક અદ્ભુત હેવું જોઈએ. પ્રબંધકારે એ કહ્યું છે કે પિતાના મૃત્યુના નિત સમયની એમને ખબર હતી. એ જમાનામાં જ્યાં મૃત્યુ વિષેને પ્રજાને ખ્યાલ જ કાંઈક જુદો હતો, ત્યાં આ વસ્તુને કાલ્પનિક ગણતાં થંભી જવું પડે છે. આ વિષે કાંઈક કહીએ તે પહેલાં મૃત્યુને એ જમાનાને ખ્યાલ સમજી લે ઘટે છે. વરધવલે પિતાની રાણી જ્યતલદેવીને તેના બન્ને ભાઈઓ સાંગણ
અને ચામુંડને મનાવવા ને યુદ્ધમાં ન ઊતરવાનું સમજાવવા પિતૃગૃહે મોકલ્યાં હતાં. જયતલદેવીએ પિતા શોભનદેવને બન્ને ભાઈઓને વારવા માટે વારંવાર કહ્યું, ને ગાજી રહેલે રણસંગ્રામ અટકાવવાની વિનંતી કરી.
શોભનદેવે કટાક્ષ કર્યોઃ “વિરધવલના જીવનને તને ભય લાગે છે ને – વિધવા થવાને?”
જયતલદેવીએ વીરતાથી જવાબ વાળે: “ના, ના, એ ભય તે શું લાગે? પણ બાપના કુળને નાશ થઈ જશે એ બીકથી વારંવાર કહી રહી છું. અશ્વ ઉપર જ્યારે એ
* આ વિષે શ્રી ઝવેરચંદ મેઘાણીએ એક સુંદર વાર્તા લખી છે..
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org