________________
૧૩૬
હેમચંદ્રાચાર્ય માટે થઈને હેમચંદ્રાચાર્યે પ્રતા૫મલ માટે રાજાને કહ્યું, એ વસ્તુ તે સ્વયં અસત્ય એટલા માટે જ છે, કે આદ્મભટ્ટ પિતે પણ જૈન મતને આગ્રહી છતાં “આપણુ વંશને સાર” એ મત પ્રદશિત કરી અજયપાલની તરફેણ કરે છે અને તે પણ ગુરુ, રાજા અને પિતે વાતચીત કરતા હતા ત્યાં. એટલે પ્રતાપમલને રાજ્ય આપવામાં, પ્રતાપમલના પિતાના વિવેકી સ્વભાવ, કપ્રિયતા, કૃષ્ણદેવની સબળતાને યાદ રાખીએ તે, સામતમાં થતી એની માનભરેલી ગણના, અને પિતાની નિભંગી બહેન પ્રત્યે રાજાને થયેલી દયાવૃત્તિ – આ સઘળાં જ કારણે સાથે, પ્રતાપમલની જૈનધર્મ પ્રત્યેની અભિરુચિ એક કારણરૂપ હોઈ શકે.
વળી સેમેશ્વરે પણ “કીતિકૌમુદી” (સગ ૨: લેક પર-૫૪)માં અજ્યપાલનું વર્ણન કરતાં “નિત્યમુહુવતો નાર” (જે હંમેશાં સ્ત્રીઓને પરણત) એમ જણાવ્યું છે. સિદ્ધરાજ મરણ પામે ત્યારે સામંતોએ અઢાર દિવસ – લગભગ એક માસ સુધી – એ નામે રાજ ચલાવ્યું હતું, ને મહીપાલ, કીર્તિપાલ અને ચાહડ ઉર્ફે ચારુદત્તને હક્ક સ્વીકારવા ના પાડી હતી. એ ઉપરથી જણાય છે કે, સામંતમંડળ બળવાન તે હતું જ. અને અજયપાલમાં સીધા વારસ સિવાય બીજા ગુણો નથી એ જોઈને જ કદાચ પ્રતાપમલ ફાવે એમ ધારીને સૌએ તેના નામ વિષે વિચાર કર્યો હોય એ સંભવિત છે. એટલે આ એક પ્રસંગ ઉપરથી હેમચંદ્રાચાર્યે રાજખટપટમાં ભાગ લીધે હતે એમ પ્રતિપાદન કરવું તે બરાબર નથી. અને બીજા એવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org