SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ હેમચંદ્રાચાર્ય નિરર્થક જવા દીધાનું એમને પિષાય તેમ લાગતું નથી. રાજખટપટમાં ભાગ લેનારે તે અનેક પ્રપંચામાં ભાગ લે પડે, જે હેમચંદ્રાચાર્યના સ્વભાવથી વિરુદ્ધ હતું. કુમારપાલ અને તેમની વચ્ચેના સંવાદો બતાવે છે કે તે જમાનામાં જેમ બીજા રાજાઓ અને વિદ્વાને – ખાસ કરીને રાજા અને કવિ –એકબીજાની પાદપૂતિ કરવી, શૃંગારભરિત કાવ્ય કહેવાં, સ્ત્રીના ઉલેખથી કાવ્યચાતુર્ય બતાવવું વગેરેમાં ઘણે સમય ગાળતા, તેમ સમય ગાળવા એ તૈયાર ન હતા. કુમારપાલની વિનંતીથી હેમચંદ્રાચાર્યે તે એમને માટે ગશાસ્ત્ર, વીતરાગતેત્ર, ત્રિષષ્ટિશલાકા-મહાવીરચરિત્ર, રચ્યાં હતાં. એટલે જે લૌકિક પરિચય ને રાજકારણની શક્યતા પિલી મૈત્રીમાં છે તેવી શક્યતા આવી કેવળ સાધુમૈત્રીમાં નથી. આ મંત્રણ વખતે આદ્મભટ્ટ, કુમારપાલ ને હેમચંદ્રાચાર્ય – એ ત્રણેનું ધ્યાન રાજનીતિમાં ને સામાજનીતિમાં દાખલ થયેલા નવા ધાર્મિક વિચારો પરત્વે હેય એ સ્વભાવિક છે. પણ એ મુત્સદ્દીગીરી ન હોય; એ તો જે વિચારો દાખલ થયા છે, તે વિનાશ ન પામે એની સાત્વિક ચિંતા પણ હોય. એટલે તેમણે સૌએ અજયપાલને બદલે પ્રતા૫મલલને ગાદી મળવી જોઈએ એ નિશ્ચય કર્યો હતો. પ્રતાપમલ શત્રુજયયાત્રામાં સાથે હતા એ ખરું; પણ સંભવિત છે, કે તેનામાં રાજા થવાના વધારે લાયક ગુણે પણ હોય, કારણ કે અજયપાલે ત્રણ વર્ષમાં જે રીતે પાછળથી રાજ ચલાવ્યું તે જોતાં પ્રતાપમલ એના કરતાં ઘણું વધારે લાયક હશે જ. એટલે એની પસંદગી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy