________________
૧૩૪
હેમચંદ્રાચાર્ય નિરર્થક જવા દીધાનું એમને પિષાય તેમ લાગતું નથી. રાજખટપટમાં ભાગ લેનારે તે અનેક પ્રપંચામાં ભાગ લે પડે, જે હેમચંદ્રાચાર્યના સ્વભાવથી વિરુદ્ધ હતું. કુમારપાલ અને તેમની વચ્ચેના સંવાદો બતાવે છે કે તે જમાનામાં જેમ બીજા રાજાઓ અને વિદ્વાને – ખાસ કરીને રાજા અને કવિ –એકબીજાની પાદપૂતિ કરવી, શૃંગારભરિત કાવ્ય કહેવાં, સ્ત્રીના ઉલેખથી કાવ્યચાતુર્ય બતાવવું વગેરેમાં ઘણે સમય ગાળતા, તેમ સમય ગાળવા એ તૈયાર ન હતા. કુમારપાલની વિનંતીથી હેમચંદ્રાચાર્યે તે એમને માટે
ગશાસ્ત્ર, વીતરાગતેત્ર, ત્રિષષ્ટિશલાકા-મહાવીરચરિત્ર, રચ્યાં હતાં. એટલે જે લૌકિક પરિચય ને રાજકારણની શક્યતા પિલી મૈત્રીમાં છે તેવી શક્યતા આવી કેવળ સાધુમૈત્રીમાં નથી. આ મંત્રણ વખતે આદ્મભટ્ટ, કુમારપાલ ને હેમચંદ્રાચાર્ય – એ ત્રણેનું ધ્યાન રાજનીતિમાં ને સામાજનીતિમાં દાખલ થયેલા નવા ધાર્મિક વિચારો પરત્વે હેય એ સ્વભાવિક છે. પણ એ મુત્સદ્દીગીરી ન હોય; એ તો જે વિચારો દાખલ થયા છે, તે વિનાશ ન પામે એની સાત્વિક ચિંતા પણ હોય. એટલે તેમણે સૌએ અજયપાલને બદલે પ્રતા૫મલલને ગાદી મળવી જોઈએ એ નિશ્ચય કર્યો હતો. પ્રતાપમલ શત્રુજયયાત્રામાં સાથે હતા એ ખરું; પણ સંભવિત છે, કે તેનામાં રાજા થવાના વધારે લાયક ગુણે પણ હોય, કારણ કે અજયપાલે ત્રણ વર્ષમાં જે રીતે પાછળથી રાજ ચલાવ્યું તે જોતાં પ્રતાપમલ એના કરતાં ઘણું વધારે લાયક હશે જ. એટલે એની પસંદગી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW