________________
હેમચદ્રાચાય
૧૨૫૫
વાદવિવાદના વિષય બની જાય, તે એની લેાકકલ્યાણકર ભાવના નાશ પામે. અહિંસા એ વ્યક્તિનું પરમ સામર્થ્ય ત્યારે જ થઈ શકે, કે જ્યારે એનામાં એ પ્રાપ્ત કરવા માટે સર્વત્યાગની તૈયારી હોય; અને એ સામર્થ્ય મેળવવા માટે ત્યાગની મહેત્તા જીવનમાં ઊતરેલી હાવી જોઇએ.
એક દિવસ ગુરુ ભિક્ષાથે ફરતા ફરતા એક ગરીબ શ્રાવકને ત્યાં આવી ચડયા. ગરીબ માણસ તા પોતાની ગરીબી પ્રમાણે જ ગુરુના સત્કાર કરી શકે, એટલે તેણે તે પ્રમાણે તે કર્યાં. ગુરુ હેમચ'દ્રાચાર્યે" તે સ્વીકાર્યાં, પણ તે દિવસે એમને લાગ્યું કે જો અહિંસાધર્મ માનવતાભરેલું રૂપ લઈને વધારે વ્યાપક ને અર્થવાહી ન બને, તે એ પણ સાંપ્રદાયિક આચારમાત્ર થઈ જાય અને ધર્મના પ્રાણ તરીકેનું ગૌરવ નામશેષ બની જાય.
"
નિયમ પ્રમાણે જ્યારે કુમારપાલ રાજા પાસે તે ધર્મચર્ચા કરવા લાગ્યા, ત્યારે પણ તેમના અંતરમાં તે પેલી વાત જ ખટકી રહી હતી પેલા ગરીમ શ્રાવકનું શું? અને એવા હુજારા દીનેાનું શું ? અને આ રાજવૈભવનું શું ? એ વધારે ને વધારે અંતષ્ટિ થતા ગયા. પશુ આ વાતના મેળ એમના હૃદયમાં બેઠે નહિ. એક વખત પાતે, મહત્ત્વાકાંક્ષાથી પ્રેરાઇ, કુમારપાલને વિક્રમરાજાની તુલનામાં શોભે એવું સ્થાન અપાવવા, ગુરુ દેવચ'દ્રસૂરિ પાસેથી, સુવર્ણસિદ્ધિમત્રની પ્રાપ્તિ કરવા ઇચ્છી હતી. * ત્યારે દેવચંદ્રસૂરિએ કુમારપાલપ્રબંધ : ૨૧
'
*
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org