SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય મુનિઓ –ને કુમારપાલ પછીના જુવાન ઉમેદવારે – એમણે કુમારપાલના મૃત્યુ પછી તુરત જ જે પગલું ભર્યું અને તેનું જે પરિણામ આવ્યું એ પણ એમ બતાવવા માટે પૂરતું ગણાવું જોઈએ, કે કુમારપાલના જ રાજકાળમાં બે પક્ષે ઘણુ પ્રબળ લાગવગ સાથે તૈયાર થઈ ચૂક્યા હતા, અને કુમારપાલ તથા હેમચંદ્રાચાર્યની ઘણું વિશાળ ધર્મભાવનાને લીધે જ એ બંને પક્ષે નિષ્ક્રિય રહ્યા હતા અને કાંઈ જ કરી શક્યા ન હતા. પરંતુ કુમારપાલની ખરી મહત્તા તે એણે ગુજરાતના જીવન ઉપર જે ચિરસ્થાયી સંસ્કાર મૂક્યા છે તેમાં રહી છે. કુમારપાલે આ પ્રમાણે જૈનધર્મના ઘણું અગત્યના ધાર્મિક સિદ્ધાંતને રાજનીતિમાં વણી લઈને એ સિદ્ધાંતને માત્ર શબ્દમાં જ નહિ, પરંતુ કાર્યમાં પણ આપ્યા હતા. જૈન પરંપરા, શાંકરદર્શનની માફક, સ્થૂલ જગતને અસત્ય માન્યા છતાં, ને અનિર્વચનીય પરમ સત્યને છેલ્લા વિશેષ તરીકે સ્વીકાર્યા છતાં, વાસ્તવિકતાને એટલે ત્યાગ કરતી નથી કે છેવટે સઘળે માયા જ શેષ રહે. એટલે જે વખતે હેમચંદ્રાચાર્ય યોગશાસ, વીતરાગસ્તોત્ર, મહાવીરચરિત્ર વગેરે પિતાના નિત્યના લખાણકાર્યમાં રત હતા, ને જૈન ધર્મના સિદ્ધાંત પ્રમાણે અહિંસાદિ પ્રવૃત્તિ પણ ચલાવી રહ્યા હતા, તે વખતે પણ તેમના મનમાં એક વાત સ્લરી * હશે, એમને લાગ્યું હશે કે અહિંસાની ભૂમિકા, એ પણું -જે કેવળ માનસિક વિલાસ બની જાય, કેવળ ચર્ચાને ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy