________________
હેમચંદ્રાચાર્ય
૧૨૩
ગિરિમાં વસવાનું તજીને હું તારા પુરમાં વસવા ઈચ્છું છું” એમ શ્રી શંભુએ સ્વપ્નમાં કહ્યાથી કુમારપાલેશ્વર નામે દેવાલય તેણે બંધાવ્યું (દ્વયાશ્રય ૨૦ : ૧૦૧) એમ ઉલ્લેખ કરે છે, ત્યારે એના કરતાં વધારે યોગ્યતાવાળે પુરા બીજે કોઈ પણ તે જમાનાને ગણી ન શકાય. અને એથી કરીને કુમારપાલ, એક તસુમાત્ર પણ જૈનધર્મ પ્રત્યે ઓછી અભિરુચિ ધરાવતું હતું એમ સાબિત થતું નથી; ઊલટું એમ નિશ્ચિત થાય છે કે કુમારપાલનું માનસ ઘણી રીતે જૈનધર્મના સિદ્ધાંતમાં અવલંબન શોધનારું હતું. અને એ રીતે એની એ ધર્મ પ્રત્યેની અભિરુચિમાં શંકાનું કારણ બહુ ઓછું છે. માત્ર એણે કઈ પણ દિવસ આંતરવિગ્રહ આવે એવું પગલું ભરવાની ઉતાવળી રીત ગ્રહણ કરી હોય એ સંભવિત લાગતું નથી. ભૂલવું ન જોઈએ કે કુમારપાલની પસંદગી સામંતમંડળે કરી હતી. એ સામંતમંડળ ધર્મ પ્રત્યે પિતાનું ચેકસ વલણ ધરાવનારું હતું. રાજા પિતાને કુલધર્મ છેડે એમ એ સામંતમંડળ ન જ ઈચ્છે એ સ્વાભાવિક હતું. જેન મંત્રીઓ ઘણી શક્તિવાળા હતા, છતાં સામંતમંડળની ખટપટને લીધે જ, અર્ણોરાજ સાથે ઘણો લાંબે વિગ્રહ કુમારપાલને શરૂઆતમાં કરે પડેલે. એટલે આવી પરિ. સ્થિતિ છતાં કુમારપાલ એવું પગલું ભરે, કે જેથી આંતરવિગ્રહનાં બીજ રોપાય એ સંભવિત નથી. વળી જુવાન જૈન જનોને આશ્ચર્ય પમાડનાર એવાં હસ્તી, આખલા, મલ પ્રમુખના યુદ્ધ, પિતાની ઈચ્છા ન હોવા છતાં, “રાજસ્થિતિ સમજીને કઈ વાર તે નિહાળતો.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org