________________
આ કૃતિ એ મહાપુરુષ પ્રત્યે એક જુદા પ્રકારની જ શ્રદ્ધાપૂર્ણતા અને કુશલતા રજૂ કરે છે.
જેમ શ્રદ્ધાની અમુક પ્રકારની ભૂમિકાથી દૂર રહી જીવનચરિત્ર આલેખવામાં ઘણી વાર ભૂલે થાય છે, અને વાસ્તવિક વસ્તુસ્થિતિ ઢંકાઈ જાય છે, એ જ રીતે કેવળ શ્રદ્ધાની ભૂમિકામાં ઊભા રહી જીવનચરિત્રો લખવામાં ય એવા અને એટલા જ ગોટાળાઓ ઉત્પન્ન થવા સાથે ખરી વસ્તુને અન્યાય પણ મળે છે. એ વિષેને, વિશિષ્ટ વિવેક આપણને શ્રી ધૂમકેતુએ પ્રસ્તુત છવનચરિત્ર દ્વારા બતાવ્યા છે. જીવનચરિત્રનાં સાધનો
ભાઈ શ્રી ધૂમકેતુએ પ્રાકૃત-સંસ્કૃત ધયાશ્રય મહાકાવ્ય, મેહરાજપરાજય નાટક, કુમારપાલપ્રતિબોધ, પ્રભાવક ચરિત્ર, પ્રબંધચિંતામણિ આદિ પ્રાચીન-અર્વાચીન ઐતિહાસિક સાહિત્ય અને તેમાં સેંધાયેલ મહત્ત્વની પ્રામાણિક અને કિવદંતીઓને આધારભૂત રાખી પ્રસ્તુત વનચરિત્ર લખ્યું છે. ભગવાન શ્રી હેમચન્દ્રનું જીવન
પ્રસ્તુત છવનચરિત્રમાં ઉપર જણાવેલ પ્રાચીન-અર્વાચીન ઐતિહાસિક સાહિત્યને આધારે ભગવાન શ્રી હેમચન્દ્રના જીવનમાં જે પ્રકારની ઉન્નત માનવતા અને આદર્શ સાધુતા હતાં; જે જાતને તેમના જીવનમાં સરસ્વતી, રાજનીતિ અને ધર્મ એ ત્રિવેણુને સુમેળ હતા અને એ ત્રિવેણુના જીવંત ગંભીર પ્રવાહને જે રીતે તેમણે ગૂજરાતી પ્રજના અંતરમાં વહાવ્યો અને પિષ્યો હતે: એક ગુજરાતી તરીકે તેમનામાં દેશાભિમાન અને પ્રજાભિમાન કેટલું હતું; દુશ્મન જેવાને તેઓ જે રીતે વિનયથી જીતી લેતા હતા; તેઓશ્રી કેવા લેકેષણ અને વૈરવૃત્તિથી રહિત હતા; જે રીતે તેમણે પિતાના જમાનાના રાજાઓ, પ્રજાઓ, વિદ્વાને, સાહિત્ય અને ધર્મોને તેમની સાધુતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org