SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ હેમચંદ્રાચાર્ય પદાર્થના અંતઃકરણને ફલેશ પણ લેશ ન આપે, એ જ જાણે કે, એની શાશ્વત પ્રાર્થના હોય! “કોઈને ન દૂભવું કેઈનું અંતર મારા પ્રત્યે ઈર્ષાળુ ન હે; કેઈને મારા તરફથી લેશ પણ કુલેશ ન હે મારી વાણું જેટલી સત્ય છે એના કરતાં વધારે નિર્મળ હે, નિર્મળ છે એના કરતાં વધુ પ્રેમભરપૂર હો અને એનું સત્ય એના પ્રેમ વડે વધારે સુંદર બને” – કુમારપાલની, જાણે કે, આ નિત્યની ધ્યાનમુદ્રા હતી. દિનપ્રતિદિન, પિતાના જીવનવિકાસની દષ્ટિએ, તે એવી રીતે વર્તન કરી રહ્યો હતે, કે જાણે રાજા, માનવ ને સાધુ – એ ત્રણે વસ્તુસ્થિતિ પિતાનામાં વિકસાવીને તે “ધ્યાતા, ધ્યેય અને ધ્યાન” એ ત્રણના અભેદ જે એક પ્રકારને અભેદ ઉત્પન્ન કરી રહ્યો હતે; એના રાજધર્મ, એના માનવધર્મ અને એના સાધુધમ – એ ત્રણે ધર્મની વચ્ચે એકસંગતા જન્મી ચૂકી હતી. અન્યાયી કર તજતાં પિતે કાંઈ તજે છે એમ તેને લાગ્યું ન હતું; પિતે કાંઈ તજવા જેવું જ તજે છે એ જ ભાવના દઢ રહી હતી. આ પ્રમાણે પિતાનાં ત્રણે કર્તાની એક્તા સાધી ત્યારે કુમારપાલને લાગ્યું કે પિતાને ખરી રીતે, પરમ માહેશ્વર થવા માટે પરમહંતપદ તજવાની જરૂર નથી, અને પરમાત બનવા માટે પરમમાહેશ્વર મટી જવાની જરૂર નથી. એણે હેમચંદ્રાચાર્યની ભાવનાથી પ્રેરિત થઈને કુમારપાલવિહારનું ભવ્ય ચૈત્ય બંધાવ્યું અને ધર્મ એ માનવની આંતરિક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy