SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય ૧૧૭ મોટું અને એવું મહાન સામર્થ્ય હોવું જોઈએ કે એની છાયામાં ઊભે રહેતે માણસ પિતાને મેટામાં મોટા ચમરબધીના કરતાં પણ મહાન માને. ગમે તેટલી ભૌતિક મહત્તા ધાર્મિક શ્રદ્ધા પાસે અકિંચન બની રહેવી જોઈએ. એ દષ્ટિએ એને લાગ્યું કે જૈનધર્મ – ઘેડાને ધર્મ છે માટે ને રાજધર્મ નથી માટે – જે ગેરલાભે ભગવે છે, તે અન્યાયી છે. એ રાજધર્મ ન બને તે પણ હજારે માણસે એ ધર્મમાંથી આશ્વાસન મેળવે છે, માટે એ પિતાના સ્વતંત્ર વાતાવરણમાં વિકાસ પામે જોઈએ. અને એટલા માટે, ધાર્મિક ઈર્ષાએથી પર રહીને, રાજાએ સઘળા ધર્મનો સરખે સત્કાર કરવું જોઈએ. રાજાએ ત્રીજું પગલું લીધું એનું અંતઃકરણ એટલું મૃદુ બની ગયું હતું કે એ -બને તે પકવ ફળને પણ “તું પડી જા” એમ ન કહી શકે. એ પોતે અત્યંત-અત્યંત વિનમ્ર અવસ્થામાં રહીને, દર પ્રભાતે થે સમય ધ્યાનમગ્ન રહીને, એવું કાંઈક કરવા માગતા હતા, કે જેમાંથી એને વિશ્વપ્રેમ વધારે ને વધારે દઢ બને. એ, બને તે, જીવજંતુ, પ્રાણી કે વનસ્પતિને પણ કટુ વાક્યથી દૂભવવા ઈચ્છતું ન હતું. કુમારપાલના જીવનવિકાસનું આ સમયનું ચિત્ર આપણી પાસે નથી. પણ જે એ હોય તે તે આવું કાંઈક હોઈ શકે, જેમાં રાજા એટલી તિ વિનમ્રતાથી વિશ્વના પદાર્થ માત્રને જોઈ રહ્યો હોય કે પિતાની નજરમાં પણ જરાક વધારે પડતે રાગદ્વેષ બતાવી કઈ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy