________________
હેમચંદ્રાચાર્ય न यन्मुक्त पूर्व रघुनहूषनाभागभरतप्रभृत्युर्वीनाथैः कृतयुगकृतोत्पत्तिभिरपि । विमुचन् संतोषात्तदपि रुदतीवित्तमधुना
कुमारक्ष्मापाल ! त्वमसि महतां मस्तकमणिः ॥ * – એમ રાજાની યથાર્થ પ્રશંસા કરી.
પરંતુ નૃપાળ કુમારપાલ કરતાં પણ મનુષ્ય કુમારપાલ. વધારે મહાન હતા. કેટલાક મનુષ્યના જીવનમાં તમે વિકાસની સ્પષ્ટ સરણી જઈ શકે છે. એમિલ લુષિગના શબ્દોમાં કહીએ તે : “The world is a foreign country : heaven is our true home” – એવી મનોદશા સેવ કુમારપાલ, હેમચંદ્રાચાર્યના સદુપદેશ અને સત્સંગને લીધે, પિતાની ચૌલુક્યહીમાં રહેલી વાનપ્રસ્થની ભાવનાને લીધે, અને પિતાના સ્વભાવમાં રહેલી સવૃત્તિને લીધે એક એવી સ્થિતિમાં આવ્યું હતું કે દુનિયામાં સૌને માટે પ્રેમનું અને અહિંસાનું સામ્રાજ્ય સ્થાપવાની એને વધારે ને વધારે જરૂરિયાત લાગી. એ એના જીવનવિકાસનું કુદરતી ફળ હતું આ પ્રમાણે અમારિ ઘોષણ અને અપુત્રિયાધનના ત્યાગથી હજી એના આત્માને પૂરે સંતોષ ન થયે.
એને એક બીજી વસ્તુ હજી સાલી રહી હતી.
ધર્મ એ જે માનવમાત્રને સૌથી વધારેમાં વધારે સ્વતંત્ર અને વ્યક્તિગત પ્રશ્ન હેય, તે આમ શા માટે કે એક ધર્મ કરતાં બીજે ધમ ચડે? વળી એમ પણ શા માટે કે મનુષ્ય પિતાની ધાર્મિક સ્વતંત્રતા માટે રાજધમ ઉપર અવલંબન રાખે? ધર્મ એ મનુષ્યનું સૌથી મોટામાં
* પ્રભાવકચરિતમ્
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org