________________
હેમચંદ્રાચાર્ય
૧૧૨
ખેડવા એ પિતાને ધર્મ ગણ્યું હતું, તે મહાસાહસિક મારો પતિ હતે. પરંતુ જ્યાં રાજા લેભી હોય, ત્યાં શ્રેષ્ઠી જે કામે તે રાજા માટે જ કામે છે, એવું વિચારી, તેણે પિતાની જન્મભૂમિ તજી આ નગરમાં આવીને વાસ કર્યો અને જિતેન્દ્રિય રાજાના રાજમાં રહીને તે પિતાને વૈભવ વધારવા લાગ્યા.
ગુજરાતીએ વેપાર ખેડે, સાહસ કરે, સમુદ્રને પાર કરે, વર્ષો વિરહમાં ગાળે, ને આવીને સ્ત્રીને મહારાણુની પિઠે સુવર્ણ, હીરા, માણેક, મોતીથી શણગારે, ને સહસ્ત્રલિંગસરોવરમાં જલનૌકામાં, ચાંદની રાતે, ઈન્દ્રને પણ ભિખારી ગણે – ગુજરાતીઓની આ વૈભવશાળી પ્રકૃતિ મારા પતિમાં પણ હતી. તેણે મને કઈ રાજરાણીની જેમ લાડ લડાવ્યા રાણુને ન મળે એવા વિલાસ કરાવ્યા અને પારદારા સંસર્ગથી દૂર રહેતા આ નગરજનેમાં પણ પિતાની પ્રતિષ્ઠા જમાવી. એણે દાન કર્યું – રાજાઓને પણ પિતાની લઘુતાનું ભાન કરાવે એટલી ઉદારતાથી, એણે વૈભવ જમા – ઈંદ્રનું અભિમાન ટળી જાય એવી વિપુલતાથી, એણે સમુદ્ર ખેડયો– કુશળ નાવિકે પણ મેં ફાડી વકાસી રહે એટલી કુનેહથી. એ મારે પતિ હતે. હું સુખી હતી. દેવયુગલને ઈર્ષા ઉપજાવે તે અમારે એક પુત્ર હતે.
“એને ક્યારે મોટો કરું, ક્યારે એ મોટા લેકમાં ફરે, ક્યારે એની કીર્તિથી નગરજને મુગ્ધ બને – એવી એવી અનેક કલ્પનાઓ કરતી હું, એને મોટો કરી રહી. એ મેટ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org