________________
૧૧૦
હેમચંદ્રાચાર્ય સોનાનાં વલય શોભી રહ્યા છે તેવી, અને છતાં કોઈ કંગાલ દીન હોય તેમ જેમતેમ બેઠેલી એક સ્ત્રી તેણે જોઈ.
રાજાએ તેની પાસે જઈ અતિ નમ્રભાવે કહ્યું: “હે પ્રેમપૂણે! કેણે તારું અપમાન કરીને તેને આમ રખડતી કરી મૂકી છે? અત્યારે આવી રીતે બેસવું એ કાંઈ યેગ્ય છે?
પુત્રી! તને કોઈ શઠ પુરુષે છળી તે નથી નાં? કોઈ ઠગ અને દાંભિક પુરુષે તને વિદેશમાંથી લાવી અહીં તજી દીધી છે કે શું? કઈ દુબુદ્ધિ કેવળ વિલાસની દૃષ્ટિથી તને ભ્રષ્ટ કરવા તે અહીં નથી લાવ્યું કે ?”
જેની વાણું જીવનમાં નિત્ય સેવેલા દયાભાવને લીધે અત્યંત મૃદુ, મધુર ને સામામાં વિશ્વાસ પ્રેરે તેવી થઈ ગઈ છે, એવા આ રાજાની વાણી સાંભળીને જાણે પિતાની સમક્ષ કઈ તથાગત આવીને ઊભા હોય એટલું આશ્વાસન પામીને પેલી નારી તેના ચરણયુગલ પાસે નમી પડીને બેલીઃ “હતું ત્યારે બધું જ હતું, અને એટલા વિપુલ પ્રમાણમાં હતું કે કઈ ઠગ, કેઈ શઠ, કે કઈ દુર્જન મારી સામે ઊંચી આંખ કરે તે પહેલાં તે તે મૂઢ સેવકના દળથી વીંટાઈને પિતાના કામને પશ્ચાત્તાપ કરતે હોય! હતું ત્યારે સઘળું હતું; આજે કાંઈ–કાંઈ જ નથી!”
રાજા કરુણા ચિતે તેની પાસે સર્યો. તેણે વધારે મૃદુતાથી કહ્યું: “દીકરી ! તારી વાત અતિ સંભળાવી જા !”
એવું છે કે જેણે સમુદ્રને પિતાની ફળીનું ચેમાસાનું ખાબેચિયું હોય તેમ રમાડયો હતો, જેણે લંકાનાં મોતી લાવીને મારાં કર્ણફૂલ બનાવ્યાં હતાં, જેણે દેશદેશાંતર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org