SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચદ્રાચાય કારિતામારિ–પ્રમ”ધમાં * કહે છે તેમ, રાજાની આ અમારિ ――― તેમ ઘાષણા સામે —— હરેક નવીન કલ્યાણકારી વસ્તુ સામે થાય છે પ્રત્યાઘાત થયા લાગે છે, અને તે જમાનાની વિચાર સરણી પ્રમાણે કટેશ્વરી દેવીને પશુવધના બલિ નહિ દેવાય તા રાજ અને પ્રજા પર મહાન આફ્ત આવે એવી વાત લાકામાં ફેલાવીને કુમારપાલના નિશ્ચયને ફેરવવાના પ્રયત્ન થયા લાગે છે, કુલાચારના આક્રમ અલંઘનીય છે. કુમારપાલ એમાંથી રસ્તા શેાધવા આચાર્ય પાસે ગયા. હેમચંદ્રાચાર્ય, જેણે પ્રમાણુશાસ્ત્ર રચીને પોતાની ન્યાયશક્તિ દર્શાવી. હતી, તેમને આ વિચારસરણીને દોષ પકડવા એ સહેલી વાત હતી. તેમણે તથાગતના નિયમને અનુસરીને રાજાને કહ્યું : “ રાજન ! લેકટોળાંને એકદમ ભય ન પમાડવા. તમે ખુદ મંદિરની દેવી પાસે આખી રાત વધપ્રાણી ધરાવી રાખો.” ગાઠવણ પ્રમાણે કુમારપાલે “ સૌને પાતપાતાના ધર્મહક્ક આપવામાં આવશે ” એમ કહીને સૌને શાંત પાડયા. ૧૦૬ -- પછી રાતમાં જે પ્રાણીએ દેવી પાસે વધુ માટે આપવાનાં હતાં, તે સઘળાને દેવીના મંદિરમાં લઈ જઈ પૂરવામાં આવ્યાં, ને ત્યાં ખરાખર બંદોબસ્ત રાખવામાં આવ્યા. સવારે જ્યારે લાકોની નજર સમક્ષ દરવાજા ઉઘાડવામાં આવ્યા ત્યારે બધાં પ્રાણી સાજા તાજા ચરી રહ્યાં હતાં. રાજાએ * જુએ, મુનિ જિનવિજયજી–સંપાદિત ‘ પુરાતનપ્રબ ધ—સંગ્રહ', પૃષ્ઠ ૪૧, ૪૨. વામરાશિ-પ્રબંધ, કુમારપાલ-પ્રાધમાં આવેલ દેવ માધિ સંન્યાસીનું વૃત્તાંત. એ સઘળાં પણ આ પ્રત્યાઘાત કેવા રૂપના હતા એનાં દ્યોતક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy