________________
હેમચંદ્રાચાર્ય તે નિવૃત્તિ જીવનમાં જ રાચ્ચે હતે. સિદ્ધરાજે એનાં છેલ્લાં વર્ષોમાં શાંત અને દશા બતાવી હતી. “વાર્થ મુનિવૃત્તીનાં ચોનાને તનુચનામૂ' એ કાલિદાસને રઘુવંશી આદશ ચૌલ
ક્યોને પણ માન્ય હતે. કુમારપાલના જીવનનાં છેલ્લાં વર્ષો વીતરાગની પ્રશંસામાં ને વિરક્ત દશાને વિકાસ સાધવામાં ગયાં છે. એક દષ્ટિએ પહેલાં પંદર વર્ષને કુમારપાલ એ છેલ્લાં પંદર વર્ષના કુમારપાલથી જુદે છે. પહેલાં પંદર વર્ષનો કુમારપાલ રાજા હતે છેલ્લાં પંદર વર્ષને રાજર્ષિ એક પછી એક મેહ તજતે આવે છે. માંસત્યાગ, મઘત્યાગ, જુગારત્યાગ, શિકારત્યાગ, ધનલેભત્યાગ અને છેવટે તે સર્વત્યાગીના જેવી એની સ્થિતિ બની જાય છે. અકબરનાં સર્વ સગા સંબંધી મરી પરવાર્યા પછી એકલવા બાદશાહ” એ કવિ ન્હાનાલાલનું સુંદર પદ્ય સાંભરી આવે છે. છેલ્લાં વર્ષોને કુમારપાલ એકાકી છે; નિઃસંગ વિરક્ત અને ધર્માથી છે. અને છતાં ગુરુ હેમચંદ્રાચાર્યે એની પાસે ગુજરાતના જીવન પર ચિરસ્થાયી અસર કરનારાં સામાજિક કાર્યો કરાવ્યાં છે.
અને એ માટે કુમારપાલનું માનસ તૈયાર હતું. જ્યારે તે દેશદેશાંતર રખડતે ત્યારે અનેક સાધુ-સંતના સમાગમમાં આવ્યાનું તેને માટે સંભવિત હતું. “કુમારપાલ-પ્રબંધ' પ્રમાણે, જ એક વખત એને સાધુઓમાંથી ઓળખી કાઢવામાં આવ્યું હતું. આ સ્થિતિમાં એને એગ પ્રત્યે ને નિવૃત્તિમાર્ગ પ્રત્યે અભિરૂચિ થઈ હોય એ સ્વાભાવિક છે. પણું જેના માથા ઉપર લગભગ હિન્દુસ્તાનના અર્ધા ભાગ જેવડા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org