________________
હેમચંદ્રાચાર્ય પડી જવાથી અને આંતરિક વિગ્રહને વશ કરવાની જરૂરિ યાતથી, તે હેમચંદ્રાચાર્ય સાથે જોઈએ તેટલું ભળી શક્યો નહિ હોય. પણ એ ઉપરથી હેમચંદ્રાચાર્ય અને કુમારપાલ બન્નેને પરિચય મોડે સધાય એમ કહેવું બરાબર નથી. કુમારપાલ પિતાની ગાદી ઉપર સ્થિર થયે; અજમેર, માળવા વગેરેના રાજાઓને તેણે હરાવ્યા ને વશ કર્યા આંતરિક વિગ્રહ ટળી ગયા; એની અવગણના કરનારું મંડળ ઓછું થઈ ગયું અને એણે રાજપદમાં સ્થિર થઈ પોતે શાંત જીવન, ગાળવાનો નિશ્ચય કર્યો.
આ સમય હેમચંદ્રાચાર્ય માટે ઘણે અનુકૂળ હો; કુમારપાલ સ્વભાવથી વિનમ્ર હતે. વળી તેણે દેશદેશાંતરે રખડીને ઘણે અનુભવ મેળવ્યું હતું. મેરૂતુંગે તેને આપેલું વિચારચતુર્મુખ”નું બિરુદ બરાબર છે. હેમચંદ્રાચાર્ય કરતાં લેશ પણ ઓછી શક્તિવાળા માણસે આ સમયે ગુજરાતમાં આંતરિક વિગ્રહને પાયે નખાવ્યું હોત. હેમચંદ્રાચાર્યની ખરી મહત્તા તે એ છે કે રાજાની પિતા પ્રત્યે એટલી ભક્તિ હોવા છતાં એણે* સાંપ્રદાયિક અંધશ્રદ્ધામાં એને
ખરી રીતે આ પુસ્તકની કક્ષાનો એ પ્રશ્ન નથી, પણ જ્યારે એક તરફથી પરમાહત અને બીજી તરથી પરમ માહેશ્વર, એમ બે પરસ્પરવિરોધી વિશેષ ઉપર વિદ્વાને ઊહાપોહ કરી રહ્યા છે (જુઓ કેશવ હર્ષદ ધ્રુવ, “પ્રિયદર્શન”ની પ્રસ્તાવના; પ્રાચીન જૈન લેખસંગ્રહ, ફાર્બસ ત્રમાસિક, એપ્રિલ-જૂન ૧૯૯૩; શ્રી. હરિશંકર શાસ્ત્રીને લેખ, તેમ જ શ્રી દુર્ગાશંકર શાસ્ત્રીને ગુજરાતને મધ્યકાલીન રજપૂત ઈતિહાસ અને બીજા ઘણુ ચર્ચાસ્પદ પ્રશ્નો ), ત્યારે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org