SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય ચાર્ય સાથે કુમારપાળને પાછળથી વેગ થશે તે બરાબર નથી, કારણ કે “પ્રભાવકચરિત્ર પ્રમાણે જ જ્યારે સિદ્ધરાજનું મરણ થયું ત્યારે પણ પિતાને રાજ મળશે કે નહિ. તેની શંકા છતાં કુમારપાલ નગરમાં આવીને હેમચંદ્રાચાર્ય પાસે જાય છે. રાજમંત્રીઓના હાથમાં જ રાજાની પસંદગી. કરવાનું હતું અને ખાસ કરીને તે પિતાના બનેવી કૃષ્ણદેવની મદદથી તેને રાજ મળે છે. છતાં પ્રધાને એ સઘળા રાજકુમારને નિમંત્રણ આપ્યું હતું, અને, સદ્દગત પ્રતાપી સયાજીરાવ વિષે બન્યું તેમ, કુમારપાલ પોતાના બન્ને ભાઈઓ કરતાં વધારે તેજસ્વી હોવાથી રાજપ્રાપ્તિ કરી શકે છે. એક બીજું કારણ પણ લાગે છેઃ કુમારપાલ બહુ વિદ્વાન હોય. તેમ લાગતું નથી, * પણ તે સા* દ્ધો હશે અને એ રીતે કદાચ એ સૈન્યમાં લેકપ્રિય હશે. સિદ્ધરાજની ઝીણવટભરેલી શેખેળ વ્યર્થ થઈ તેને કારણમાં પણ કુમારપાલની સૈનિક અને સાથેની મૈત્રી નિમિત્તરૂપ હોઈ શકે. વળી સુભ ટતા એ કુમારપાલનો ગુણ હતા, એમ “પ્રબંધચિંતામણિ”માં આપ્યું છે. તેમ જ મંત્રીઓએ જ્યારે કુમારપાલને પૂછ્યું કે તમે શી રીતે રાજ કરશે, ત્યારે તેણે તલવાર બતાવીને, આનાથી” એમ કહ્યું. એ વસ્તુ પણ એની રણસુભટતા. તરીકેની કીર્તિનું સમર્થન કરે છે. આ રીતે કુમારપાલને રાજ મળ્યું ત્યારપછી, સંભવિત છે કે, વિગ્રહની પરંપરામાં * જુઓ “પુરાતનપ્રબંધસંગ્રહ', પૃષ્ઠ ૮૯. ૪ જુઓ “દ્વયાશ્રયમાં કરેલું સંપાદલક્ષ સાથેના યુદ્ધનું વર્ણન, સર્ગ ૧૮, ૮૬-૮૬ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy