SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય કુમારપાલની વંશશુદ્ધિની શંકા ઉપરાંત સિદ્ધરાજને સ્વભાવ જોતાં તે પિતાના જેવા પ્રતાપી પુરુષને અસહિષ્ણુ હશે. કુમારપાલનું તેજ તે વખતે પણ છાનું નહિ રહ્યું હોય. એટલે કુમારપાલને જીવનનાં પ્રથમ વર્ષો – લગભગ પચાસ વર્ષ સુધીની વય – દેશાંતરમાં ગાળવાં પડેલાં. “પ્રભાવચરિત્ર” પ્રમાણે, હેમચંદ્રાચાર્યના સંબંધમાં તે વખતે જ તે આ જણાય છે. એક વખત એ સાધુવેષે પાટણમાં આવેલે, પણ જેગીંદર વેશમાં હોવા છતાં ચરપુરુષેએ એને ઓળખી કાઢ્યો; અને તે ભાગીને હેમચંદ્રાચાર્યના ઉપાશ્રયે ગયે. * આચાર્ય કેવળ કરુણતાથી પ્રેરાઈને તેને તાડપત્રમાં છુપાવી દીધે, અને પછી રાત્રે, કેઈ ન દેખે તેમ, બહાર કાઢી દેશાંતરમાં જવાની સલાહ આપી. સ્તંભતીર્થમાં ઉદયન મંત્રીએ કુમારપાલને જે જવાબ આપ્યો હતે – જે રાજાને અભીષ્ટ ન પ્રા. અને તે ઉપરથી વા. આ બાબતમાં શ્રી. રામલાલ મોદીની (ફા. ગૂ. ૩. ૩માં) ચર્ચા આવી છે, તે પ્રમાણે સામેશ્વરને ચાહડ કહ્યો છે. # ગુરુ અજુનદેવે ખુશરુને આશ્રય આપે એ વાતની જ્યારે બાદશાહ જહાંગીરને ખબર પડી ત્યારે તેણે ગુરુને બોલાવી સખ્ત ઠપકે આપ્યા હતા અને તેનો પણ દંડ કર્યો હતો. દંડ તે ગુરુના શિષ્ય ભરી દેવા તૈયાર હતા, પણ ગુરુએ એમ કહી દંડ દેવાની ના પાડી, કે અમે ખુશરુને રાજદ્રોહી તરીકે નહિ, કેવળ માનવ તરીકે, ધર્મસ્થાનમાં હરકેઈ દુઃખપીડિતને આશ્રય આપવો જોઈએ એમ ધારીને આશ્રય આપ્યો હતો. અમારે હેતુ રાજદ્વારી હતો જ નહિ. એટલે આ દંડ ભરી ન શકાય. તેમણે કેદ સ્વીકારી અને કેદના ત્રાસથી પીડાઈને પિતાનો દેહ જલને અર્પણ કરી દીધો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy