________________
હેમચંદ્રાચાર્ય સંસારમાં આવતો નથી.” *
આ પ્રમાણે હેમચંદ્રાચાર્યે પાટણમાં પિતાની પ્રતિષ્ઠા જમાવી. પિતાના ધાર્મિક અને સંયમી આચરણથી, વિનય ભરેલી, નિર્દોષ ને “દુશ્મનોના હાથમાંથી તલવાર નીચે નખાવી દે” એવી શાંત, સૌમ્ય વાણીથી અને અનુપમ સાહિત્યસેવાથી એ જમાનામાં ગુજરાતમાં સિદ્ધરાજ જયસિંહ અને હેમચંદ્રાચાર્ય એ બને નામે અનેક જીભની ટોચે રમવા લાગ્યાં. વિનોદી રાજાએ જેવા ઉત્સાહથી પ્રજાના હૃદયમાં પિતાનું નામ “સધરા જેસંગ રમતું કર્યું હતું,
* હેમચંદ્રાચાર્ય માં ઘણા લોકોત્તર શક્તિનો ઉલ્લેખ પ્રબંધકાર વારંવાર આપે છે, અને એટલા જ આગ્રહથી પુરાતત્ત્વજ્ઞો એ વસ્તુને દંતકથા માનવા પ્રેરાય છે. કોઈ પણ જાતના ચમત્કારમાં શ્રદ્ધા રાખવી આવશ્યક છે એ લેશ પણ ઉદ્દેશ રાખ્યા વિના, પુરાતત્ત્વજ્ઞોને કહી શકાય કે પ્રબંધે વાંચતાં માનસવિજ્ઞાન અને આધ્યાત્મિક શક્તિ પરની ઊંડી શ્રદ્ધા – એ બન્ને વસ્તુઓની ઉપેક્ષા કરવી યોગ્ય નથી. હેમચંદ્રાચાર્યમાં જે જતિષની શક્તિ ધારવામાં આવી છે અને તેનામાં વસ્તુસ્થિતિ જાણી લેવાની જે આધ્યાત્મિક શક્તિને ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે વિષે આટલું કહી શકાય કે એવી વસ્તુઓ અશક્ય હેવાની અશ્રદ્ધા જ રાખવાની જરૂર નથી. દિફ અને કાલ ઉપર વૈજ્ઞાનિક જમાનાએ ધણું વર્ચસ્વ મેળવ્યું છે, છતાં આત્મા વિષેનું એનું અજ્ઞાન હતું એટલું જ રહ્યું છે; કારણ કે–
For thou hast driven the Foe without,
See to the Foe within – એ મુજબ માણસે બાહ્ય દુશ્મનોને તે જ જીત્યા ગણાય, જે એણે આંતર શત્રુઓને જીત્યા હાય; અને જેણે એ સિદ્ધ કર્યું હોય તેને માટે al - These revelations form its significance to men and women, whatever be its duration--it shows what
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org