SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ હેમચંદ્રાચાર્ય ૭૫. સિદ્ધરાજ પિતાના જીવનનાં છેલ્લાં વર્ષોમાં જૈનમતાવ લંબી થયો હોય એમ શ્રી. રસિકલાલ પરીખે ઉલેખ કર્યો છે, અને તેના સમર્થનમાં જ અલ ઇદ્રીસીનું કથન કર્યું છે. સિદ્ધરાજનાં છેલ્લાં વર્ષોની પુષણ અને તે માટેના પ્રયત્ન ઇતિહાસસુપ્રસિદ્ધ છે. ગમે તે રીતે પિતાને પુત્ર નહિ જ થાય એ વાતથી એના મનમાં વિષાદ થયાની વાત પણ જાતી છે. કુદરતી રીતે ચૌલુક્યવંશી સઘળા રાજાઓની પેઠે એની વૃત્તિઓ પણ કાંઈક સંન્યાસી સ્વરૂપ ધાર્યું હોય એ સંભવિત છે. પણ એક પરદેશી મુસાફરની ચલતી ટીકા ઉપર આધાર રાખી રાજાની વૃત્તિને ઝેક માપી કાઢવે એ બરાબર નથી. અને એટલે એ, પિતાની સાહજિક વૃત્તિ પ્રમાણે, સર્વ ધર્મને માન આપવાની પ્રથા બહુ યત્નપૂર્વક જાળ વત હશે. જનધર્મ પ્રત્યે એને દ્વેષ તે ન જ હતે; કારણ કે હેમચંદ્રાચાર્ય સિવાય બીજા પણ ઘણા આચાર્યો એના પ્રસં. ગમાં આવ્યાને ઉલ્લેખ છે : વીરાચાર્ય, માલધારી હેમચંદ્ર, સમુદ્રષ વગેરે. તેથી તેણે ઘણા અગ્ય નિયમ રદ કર્યા * આ અબૂ અબ્દુલ્લાહ મુહમદ અલ ઈદ્રીસી)ને જન્મ ઈ. સ. અગિયારમી સદીના અંતની આસપાસ મોરક્કો દેશના ટા (cueta) નગરમાં થયો હતો. તે ઈદ્રસી નામના પુરુષનો વંશજ હાવાથી એલ ઇસી કહેવાતે. તે સિસિલીના બાદશાહ રાજર બીજને દરબારી હતો. પણ, શ્રી ગૌરીશંકર ઓઝાના મત પ્રમાણે, તે હિંદુ સ્તાનમાં આવ્યું લાગતું નથી. હિંદુસ્તાનનાં ભિન્ન ભિન નગરે. સંબંધી જે કાંઈ તેણે લખ્યું છે, તે અન્ય લેખકોનાં તથા મુસાફરોનાં વર્ણન સાંભળીને લખેલું પ્રતીત થાય છે. જુઓ “સોલંકી, રાજ જયસિંહ સિદ્ધરાજ' એ શ્રી ગૌરીશંકર હીરાચંદ ઝાનો લેખ... Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005247
Book TitleHemchandracharya
Original Sutra AuthorN/A
AuthorDhoomketu
PublisherGurjar Prakashan Ahmedabad
Publication Year
Total Pages204
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy