________________
[૫૮]
જૈન દર્શન મીમાંસા માંથી ઇ િવગેરેની ઉત્પત્તિ માને છે. જેને જડ કર્મોથી શરીર, પર્શરૂપ, રસ, ગંધ અને ક્રોધાદિ કષાયની ઉત્પતિ માને છે. ઘણું ઘણા વિભાગમાં સાંખ્યો જેના દર્શનના સંબંધમાં નામાંતર સિવાય એક જ કેન્દ્રમાં આવી શકે છે. પરંતુ તેઓ આભાને સર્વદા નિલેપ માને છે. આ હકીકત જૈન દર્શન સ્વ સમયના નિશ્ચયનય વડે સત્ય કહે છે, પરંતુ વ્યવહારનયથી તે આત્મા જડ સાથે ક્ષીરનીર સંબંધથી મિશ્ર થયેલ છે અને થાય છે, વિવેકરૂપ હંસચંચુ સજીવન થાય તો તે સંબંધ દૂર કરી નિલેપ થાય છે. પણ જ્યાં સુધી નિલેપ થઈ શકતો નથી ત્યાંસુધી તે નિર્લેપ નથી જ, એ તો દેખાય છે. શરીરરૂપ બેડીમાં અવગુંઠિત થયેલે આત્મા આયુષ્યના ક્ષય પછી જ અન્ય શરીર ધારણ કરી શકે, પરંતુ તે સિવાય તે શરીર રહિત અને નિલેપ છે તેમ કહી શકાય નહીં. આ પ્રકારે આત્મા નિલેપ થઈ શકતો નથી ત્યાં સુધી તે નિલેપ નથી જ, એ તો પ્રત્યક્ષ છે. કર્મનું બંધન વ્યવહારનયથી છે. તેથી આત્મા જૈન દર્શન પ્રમાણે જડ કર્મોથી આવૃત્ત છે. દૂધ પાણીના સંબંધની પેઠે એકાકાર જેવો છે, પરંતુ તે ઉપાવડે ભિન્ન પણ થઈ શકે છે. આ ઉપરથી આભાને સર્વદા નિપ માનવાથી સાંખ્ય દર્શન જૈન દર્શનના નિશ્ચયનય વડે સત્ય છે અને વ્યવહારનય વડે અસત્ય છે. સાંખે ઈશ્વરવાદી અને નિરીશ્વરવાદી બે પ્રકારના છે.
તૈયાયિક દર્શન સ્વીકારે છે કે સહજ વિચારધારા મનને શાંત કરવાથી આત્મા ક્ષેશ કર્યાદિથી છૂટો પડે છે. જૈનના વ્યવહારને આ વાત પુષ્ટ થાય છે. સાવ રજસ અને તમ... પ્રકૃતિ એ જૈન દર્શનાનુસાર પરમાત્મભાવ, અંતરામ અને બહિરાભવરૂપ આમાની ત્રણ જુદી જુદી અવસ્થા છે. તેઓ સંશય, તર્ક, નિર્ણયાદિ તો માને છે, તેને જૈન દર્શન મતિજ્ઞાનના ભેદરૂપે વર્ણવે છે. આ પ્રકારે ઘણે અંશેમાં તૈયાયિક દર્શન (તાવિક દ્રષ્ટિએ) જૈનને મળતું આવે છે. પરંતુ અમુક નય જ અંગીકાર કરેલું હોવાથી ધિવિધન સંપન્ન થઈ શકતું નથી. જેમ કે તેઓ ઈશ્વરને જગતકર્તા માની, જગતના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org