________________
અન્ય દશને સાથે સરખામણું જ
[ ૫૯ ] પ્રાણી પદાર્થોમાં વ્યાપક માને છે. જૈન દર્શન આત્મા સર્વગતજ્ઞાન (કેવળજ્ઞાન) પ્રાપ્ત થાય ત્યારે ઈશ્વર માની જ્ઞાનવડે સર્વ પ્રાણી પદાર્થોમાં વ્યાપક માને છે. જેને આત્મારૂપ ઈશ્વરને જ્ઞાનવડે સર્વવ્યાપક માને છે, ત્યારે તૈયાયિક, વૈશેષિકાદિ અન્ય દર્શને ખુદ આત્મારૂપ દ્રવ્યને સર્વવ્યાપક માને છે; આથી આમારૂપ દ્રવ્યની સર્વજ્ઞતામાં વ્યભિચાર દેવ ઉપન્ન કરી સકર્થ ઉદભવાવે છે. દ્રવ્યાનુયોગ તર્કણામાં કહેવું છે કે –
कारण घट नाशस्य मौल्युत्पतेघर्ट : स्वयम् ।
एकांत वासनां तत्र, दत्ते नैयायिक : कथम् ।। સુવર્ણ ઘટના નાશમાં અને સુવર્ણ મુકુટની ઉત્પત્તિમાં ઘટ સ્વયમ્ કારણ છે. જ્યારે એમ છે ત્યારે નાશ અને ઉત્પત્તિમાં એકાંતભેદની વાસને તૈયાયિક કેમ સ્વીકારે છે ? અર્થાત ઉત્પત્તિ અને નાશનો સર્વથા ભેદ કેમ માને છે ?
મીમાંસકે નીચે પ્રમાણે “ અદ્વૈતભાવ” સ્વીકારે છે. एक: सर्वगतो, नित्य: पुन: विगुणो न बाध्यते न मुच्यते
“ આત્મા એક છે; સર્વગત છે, નિત્ય છે, જેને વિગુણ બાધા કરતા નથી અને જે મુકાતો નથી.”
જૈનદર્શનના નિશ્ચયન વડે આ વાત યથાતથ્ય છે, પરંતુ વ્યવહારનયવડે તો આત્મા અસવંગત છે, પ્રત્યક્ષપણે જેટલા અવકાશમાં દેખાય છે તેટલી મર્યાદાવાળો છે, અનિત્ય છે, વિગુણના અનુગ્રહ અને ઉપઘાતથી ઉપયુકત છે. આથી તેમણે પણ અમુક નયન સ્વીકાર અને અમુક નયને અસ્વીકાર અર્થાત્ એક નયને ન્યાય અને એક નયને અન્યાય એવી માન્યતા સ્વદર્શનમાં પ્રમાણભૂત ગણેલી છે. - વૈશેષિકેની માન્યતાવાળા નીચેના સિધ્ધાંત સાથે તેના જ પ્રતિપક્ષભૂત જૈન દર્શનના સિદ્ધાંતોની સરખામણી અત્ર અપ્રસ્તુત નથી તેમ ધારી નીચે મુજબ દર્શાવવામાં આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org