________________
-
-
અન્ય દર્શન સાથે સરખામણું *
[ પ૭] મરણ પ્રત્યક્ષપણે દેખાય છે તેમ જ ક્રિયાનું ફળ પણ પોતે જ ભગવે છે તે એક જ પુરુષમાં જુદા જુદા આત્મા (જેમ કે ક્રિયા કરનાર જુદો અને ફળભોકતા જુદ) એ વાસ્તવિક સત્ય તરીકે ઘટતું નથી. જે છે તે માત્ર એક જ આત્મામાં જ્ઞાનના પર્યાયની જુદી જુદી અવસ્થાઓ બદલાયા કરે છે. આ પ્રકારે દ્રવ્યરૂપે આત્માના ક્ષણથાયીપણાની દલીલ ટકી શકતી નથી. તેથી એમ કહેવામાં જરા પણ અડચણ નથી કે બૌદ્ધદર્શને જૈનદર્શનને એક પર્યાયાર્થિક નય ગ્રહણ કરી આભાની વસ્તુસ્થિતિ (Theory) તદ્દન એકાંતિક અંગીકાર કરેલી છે. કેટલાક બૌદ્ધો તે આત્માને માનતા નથી; તેઓનો નાર્તિકેની કટિમાં સમાવેશ થાય છે. બૌદ્ધદર્શનની અપેક્ષાએ તેમને હિંસાનું ફળ પણ હોઈ શકતું નથી, કેમકે હિંસા કરનાર પાપને ભાગી થાય છે અને તે હિંસાકર્તાને વિનાશ થવાથી અન્ય ફળભોકતા થઈ શકતો નથી. આ રીતે માત્ર પર્યાયાર્થિક નય માનવાથી સર્વ શુભ અને અશુભ ક્રિયાના ફળને ધ્વસ થવાથી અને ભક્તશન્ય જગત થવાથી વ્યવસ્થિતપણું જળવાઈ રહેતું નથી. એક જ આ ક્રિયાને કર્તા, હર્તા અને ભક્તા હોય તે જ તે શુભ અથવા અશુભ ફળને ભોક્તા બને છે. કર્મબંધ પાડનાર એક જ હોવાથી ફળ પણ તેને જ મળે છે અને મુક્ત પણ તે જ થઈ શકે છે. આ ઉપરથી પર્યાયાર્થિકનય રૂપ બૌદ્ધદર્શનમાં –
क्षणिक ज्ञान संतान, रूपेऽप्यात्मन्य संशयम् । हिंसादयो न तत्त्वेन, स्वसिद्धांत विरोधतः ।।
ક્ષણિક જ્ઞાનના સંતાનરૂપ એવા આત્મામાં સંશય રહિતપણે પિતાના જ સિદ્ધાંતના વિરોધથી (બૌદ્ધો પોતે હિંસા અને અહિંસાનું સ્વરૂપ સ્વસમયમાં પ્રતિપાદન કરે છે, તેથી તત્વતઃ હિંસાદિ ઘટી શકતાં નથી.
સાંખ્યો પ્રકૃતિ અને પુરુષ એ બે મુખ્ય તત્વ માને છે. ત્યારે જેને જડ અને આત્મા એ બે પદાર્થો મુખ્યપણે માને છે. સાંખે પ્રકૃતિ
ભ ફળને ભોજન હતું અને ભો
હોવાથી ફળ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org