________________
[૧૦૨]
જન ધન મીમાંસા જૈન દર્શન પણ આત્માને અમર માને છે અને જીવન અને મૃત્યુને તેના પર્યાય માને છે. વાસ્તવિક જીવન જૈન દર્શન તેને માને છે કે જે જ્ઞાનદર્શન અને સદાચરણમાં જીવતો હોય; બાકીનું જીવન શરીરના પલટા રૂપ છે, પરંતુ આત્માના પલટા રૂપ નથી. મૃત્યુને વિનાશ કરી અખંડાનંદને પ્રાપ્ત કરનાર આત્માઓ પુનઃ અવતાર લેતા નથી. કેમકે કર્મબીજને તેમણે નાશ કરેલું હોવાથી સંસારમાં જન્મ લેવા રૂ૫ વૃક્ષ ક્યાંથી સંભવે ? તામાન જ્ઞાખ્યટું—એ ગીતા વાક્યથી જૈન દર્શન એક દષ્ટિએ જેમ જુદું પડે છે, તેમ બીજી દષ્ટિએ તીર્થકરેના અવતાર એ પણ જનતામાં જ્યારે જ્યારે અનાચારોની વિપુલતા વધી હોય છે, ત્યારે ત્યારે થાય છે; પરંતુ મુક્તાત્મા ફરીથી સંસારમાં જન્મ લેતા નથી, તેમ જૈન દર્શન ભાર મુકીને કહે છે. સુખ અને દુઃખને જૈન દર્શને કર્મના અણુઓ કલ્પેલા છે એ અણુઓ સદ્ગાનવડે આમા ઉપર અસર કરી શકતા નથી. જેમ જેમ આમબળ વધતું જાય છે, તેમ તેમ વેદનીય કર્મની પરિસ્થિતિ આમા ઉપર અસર કરી શકતી નથી.
ધર્મ, અર્થ, કામ અને મોક્ષ પુરૂષાર્થો પરસ્પર બાધક ન આવે તેવી રીતે પરિપૂર્ણ કરવાના છે અને એ રીતે આત્માને સ્વાવલંબી બનાવી જેના પરિભાષામાં–કર્મોને ક્ષય કરી સ્વતંત્રતા–મુક્તિ મેળવવાની છે. લેકમાન્યને કર્મયોગ એ જૈન પરિભાષામાં પુરુષાર્થ છે, જ્યારે જેના પરિભાષામાં કર્મવાદ એ પુરૂષાર્થથી થાકેલાને આશ્રય છે.
જેનેને ક્રિયાકાંડ અર્થ અને રહસ્યથી ભરપૂર છે. સામાયિક એ ( નિત્ય ક્રિયા) રેજની ક્રિયા, જેને અર્થ આત્માને સમતા ગુણમાં દાખલ કર પ્રતિક્રમણ એ રેજની ક્રિયા જેનો અર્થ દરરોજ થયેલાં પાપને તપાસી તેથી પાછા હઠવું, તેને પશ્ચાત્તાપ કરી પુનઃ પાપ ન બંધાય તે માટે સાવધાન થવું. પરંતુ આ સર્વ રેજના ક્રિયાકાંડે ફેનેગ્રાફની રેકર્ડની માફક થતા જાય છે અને ક્રિયાના અર્થ અને રહસ્ય તરફ બેદરકાર બની જવાથી, ક્રિયા શરીર આત્માનું છું બની જાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org