________________
જૈન દર્શન-તુલનાત્મક દૃષ્ટિએ જ
[૧૦૩] તે જૈન દર્શનનું અધઃપતન સૂચવે છે મુહપત્તી પડિલેહતાં બેલવાના બેલે અને તે ઉપર થતી વિચારણું લગભગ જૈન ક્રિયાકાંડમાંથી ભૂલી જવામાં આવી છે. આ રીતે અર્થશન્ય ક્રિયાઓ જેનાત્માઓને ઉન્નતિમાં શી રીતે લાવી શકે ! પાપ અને પુણ્યનું દૈનિક સરવૈયું કાઢવાનું જૈન ક્રિયાકાંડનું સખ્ત ફરમાન છે. ગૃહસ્થનાં બાર વ્રતો જે બરાબર પાલન કરવામાં આવે તો મુંબઈની હાઈકોર્ટના જજના પ્રમાણિકપણ કરતાં તે ગૃહસ્થનું પ્રમાણિકપણું વધારે પ્રતિષ્ઠાપાત્ર હોય છે. એ બાર વ્રતની પ્રતિજ્ઞાઓની વિશાલ હકીકત જાણવાથી સ્પષ્ટ થઈ શકે તેમ છે.
જેન સોળ સંસ્કારને માન્ય કરે છે અને તેમના પ્રાચીન કલ્પસૂત્રમાં જ મહાવીર પ્રભુના જન્મ પછી ચંદ્રદર્શન, સૂર્યદર્શન વગેરે (સંસ્કારે) સંસ્કરણને ઉલ્લેખ છે. કર્મનું સ્વરૂપ એટલું બધું સૂક્ષ્મ છે કે અન્ય દર્શનમાં તેની કશી હકીકત મળી શકતી નથી. જેનો આત્મા અને કમને સંબંધ એવો માને છે કે જેમ શરીરમાં ભોજન ભિન્ન ભિન્ન રસોથી પરિણામ પામે છે તેમ કર્મને ભગવટો પણ જુદા જુદા સ્વરૂપમાં આત્માને થાય છે, અને તે કમ ભગવાયા પછી જુદા પડતાં નવાં નવાં કમ પરમાણુઓનું બંધન આત્મા કર્યો જતો હોવાથી જન્મ મરણથી મુક્ત થઈ શકતો નથી. કર્મોના મુખ્ય આઠ પ્રકાર (ભેદ) જૈન દર્શન માને છે. જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મથી આત્માના જ્ઞાન અને દર્શનરૂપ ગુણનો ઘાત થાય છે. જેમ મદિરાથી આભાની બુદ્ધિ કુદિત થાય છે તેમ મોહનીય કમથી મેહ અને કષાયોની ઉત્પત્તિ થાય છે. વેદનીય કર્મથી સુખ દુઃખને અનુભવ થાય છે. આયુકમથી જીવને વર્તમાન જન્મમાં નિયમિત વખત સુધી રોકાવું પડે છે, નામકર્મથી વર્તમાન શરીર વગેરેની આકતિઓની રચના થાય છે. ગોત્ર કર્મથી ઉચ્ચ નીચ કુળમાં જન્મ થાય છે, અને અંતરાય કર્મથી સુખભગ તથા શકિતને ઉપયોગ થઈ શકતો નથી–તે તે કર્મોના બંધનેને મનુષ્યના વિચારે ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org